મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ખાનપર ગામે આંચકીની બીમારીથી કંટાળીને યુવાને કર્યો આપઘાત


SHARE











મોરબીના ખાનપર ગામે આંચકીની બીમારીથી કંટાળીને યુવાને કર્યો આપઘાત

મોરબી તાલુકાના ખાનપર ગામે યુવાને પોતાના પડતર ઘરની અંદર ગળાફાંસો ખાઇને યુવાને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના કન્યા છાત્રાલય પાછળ પુનિત નગર દર્શન બંગ્લોઝમાં રહેતા મૂળ ખાનપરના રહેવાસી પાર્થભાઈ વસંતભાઈ અમૃતિયા જાતે પટેલ (૨૩)એ ખાનપર ગામે પોતાના પડતર ઘરે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી તેની બોડીને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને આ બનાવની યોગેશ ભીમજીભાઇ અમૃતિયાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી માટે પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની તપાસ કરતાં એએસઆઈ એએ.બી.વ્યાસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે આપઘાત કરી લેનાર પાર્થને વર્ષ ૨૦૧૩ થી આંચકીની બીમારી હતી અને જુદા જુદા ડોક્ટર પાસેથી તેની સારવાર કરાવી હતી તેમ છતાં પણ તેને કોઈ ફરક પડતો ન હતો અને આ બીમારીથી કંટાળીને તેણે ગળાફાંસો ખાઇને આપઘાત કર્યો હોય તેવું તેના પરિવારજનો પાસેથી જાણવા મળેલ છે.






Latest News