મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકાની પુરવઠા કચેરી અલગ કરવા માટે પાંચ દિવસ કામ બંધ રહેશે


SHARE











મોરબી શહેર-તાલુકાની પુરવઠા કચેરી અલગ કરવા માટે પાંચ દિવસ કામ બંધ રહેશે

મોરબી શહેર અને તાલુકાની પુરવઠા કચેરી અલગ કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો તો પણ કામગીરી કરવામાં આવતી ન હતી જેથી કરીને આ મુદે રજૂઆત કરવામાં આવી હતી જેથી કરીને આ શાખાની કામગીરીનું વિભાજન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેથી કરીને તા.૧૦ થી પાંચ દિવસ સુધી તમામ કામગીરી બંધ રહેશે.તા.૧૦-૨-૨૨ થી તા.૧૫-૨-૨૨ સુધી ટેકનીકલ કારણોસર રેશનકાર્ડને લગતી તમામ કામગીરી બંધ રાખવામાં આવેલ છે

મોરબીમાં રહેતા જાગૃત યુવાન મેહુલભાઈ ગાંભવાએ થોડા દિવસો પહેલા જિલ્લા પુરવઠા અધિકારીને લેખિત રજૂઆત કરી હતી અને સરકાર દ્વારા ૨૧ ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ મોરબી સિટી અને તાલુકા વિસ્તારોમાં રેશનિંગની દુકાનો આવેલ છે તેને અલગ કરવા માટેનો હુકમ કર્યો છે તો પણ તે હુકમની અમલવારી કરવામાં આવી ન હતી જેથી ગ્રાહકોને હેરન થતાં હતા દરમ્યાન મોરબી તાલુકામાં કુલ ૧૦૨ અને શહેરની ૩૭ દુકાનોનું કામ અલગ કરવાનું કામ શરૂ કરવામાં આવે છે અને આ કામગીરી માટે તા ૧૦ થી ૧૫ સુધી ચાલશે જેથી કરીને ત્યાં સુધી રેશનકાર્ડને લગતી તમામ કામગીરી બંધ રહેશે અને આ કામ થઈ ગયા પછી લોકોના કામ ઝડપથી થશે તેવું અધિકારીએ જણાવ્યુ છે






Latest News