મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના સ્વામિનારાયણ નારાયણ ગુરૂકુળ ખાતે વસંતપંચમી અને શિક્ષાપત્રી જયંતી ઉજવાય


SHARE











મોરબીના સ્વામિનારાયણ નારાયણ ગુરૂકુળ ખાતે વસંતપંચમી અને શિક્ષાપત્રી જયંતી ઉજવાય

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ  રાજકોટ સંસ્થાનની શાખા એવા મોરબી સ્વામીનારાયણ ગુરૂકુલમાં વસંતપંચમી તેમજ શિક્ષાપત્રી જયંતી નિમિત્તે ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.જેમાં પૂજ્ય નીલકંઠદાસજી સ્વામી, પૂજ્ય નિર્ગુણજીવનદાસજી સ્વામી, પૂજ્ય નારાયણદાસજી સ્વામી અને પૂજ્ય ગુણસાગરદાસજી સ્વામીએ મંત્રોચ્ચાર કરી પૂજન વિધિ કરાવી હતી.જેમાં આશરે ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઓફલાઈન ભાગ લીધો હતો.તેમજ આશરે ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઓનલાઇન ભાગ લઇને પૂજા-અર્ચના કરી હતી. શિક્ષાપત્રી તેમજ વસંત પંચમીનું મહત્વ વિશે વાલી ભાડજા પ્રિયાબેન વિજયભાઈ અને શિક્ષિકા અંદરપા નિશાબેન દ્વારા પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપવામાં આવ્યું હતું આમ સર્વેએ હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરી પોતાની ફરજ નિભાવી હતી.તેમજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટની પ્રથમ શરૂઆત સન ૧૯૪૮ માં પૂજ્ય ગુરુવર્ય શ્રી ધર્મજીવનદાસજી સ્વામી દ્વારા થયેલી હોય સ્વામીશ્રી નિર્ગુણજીવનદાસજી સ્વામીએ ગુરુકુલના તમામ વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોને સંબોધ્યા હતા.






Latest News