મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠે ટ્રાફિક સમસ્યા હળવી કરવા વધુ બે બેઠા પુલ બનાવવા જરૂરી : લાલજી મહેતા


SHARE











મોરબીના સામાકાંઠે ટ્રાફિક સમસ્યા હળવી કરવા વધુ બે બેઠા પુલ બનાવવા જરૂરી : લાલજી મહેતા

મોરબીની ટ્રાફિક સમસ્યા હલ કરવા સરકારે નકકર કામ કરવુ પડશે.ટ્રાફિકના નામે પ્રજા અને પોલીસને દોશ દેવો એ યોગ્ય નથી.નવા રસ્તા-બેઠા પુલ બનાવી ટ્રાફિક સમસ્યા હલ કરવી જોઇએ.મોરબી-૨ વિસ્તારમા એક બેઠો પુલ છે તેની બાજુમાં બીજો બેઠો પુલ બનાવીને જે સામે નાલામા થઈ શકે એમ છે તો આવન જાવન સરળ બની શકે આ અંગે મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરેલ છે.

વધુમાં લાલજીભાઇ મહેતાના જણાવ્યા મુજબ મોરબીમા ટ્રાફિક વ્યવસ્થાનો મોટો પ્રશ્ન છે.અવારનવાર ટ્રાફિક બાબતે પોલીસ અને પ્રજા સામે તીર તાકવામાં આવે છે.ટ્રાફિક વ્યવસ્થા સારી રહે તે માટે સરકારએ પ્રજાલક્ષી કામ કરવા જોઇએ.મોરબી-૨ સામાકાંઠા વિસ્તારમા સવારે ૮ થી ૧૦ અને સાંજે ૭ થી ૯ વાગ્યા સુધી ભયંકર ટ્રાફિક સમસ્યા થાય છે. મોરબી-૨ વિસ્તારમા એક બેઠો પુલ છે તેની બાજુના નાલા ઉપર જો બીજો બેઠો પુલ બનવામાં આવે તો ટ્રાફિક સમસ્યા હળવી થાય અને ત્યાં અવરજવર સરળ બનશે.પોલીસ કેટલુંક કરે ?! આ બેઠા પુલ માટે સરકારે નગરપાલિકાને સ્પેશ્યલ ગ્રાન્ટ ફાળવે તેવી જ રીતે હકુની પાજ પાસેથી બેઠો પુલ બનાવી સ્મશાન પાસેથી કાઢવામા આવે તો પણ ટ્રાફિક સમસ્યા હલ થઇ શકે તેમ છે.નગરપાલિકા અને સરકાર આ બન્ને જગ્યાઓએ બેઠા પુલ બનાવે તે અંગે મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી છે.






Latest News