મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે કારખાનામાં રહેતી પરિણીતાને માવતરે જવા પતિએ રૂપિયા ન આપતા જાત જલાવીને કર્યો આપઘાત


SHARE











મોરબીના રફાળેશ્વર પાસે કારખાનામાં રહેતી પરિણીતાને માવતરે જવા પતિએ રૂપિયા ન આપતા જાત જલાવીને કર્યો આપઘાત

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આવેલા કારખાનામાં મજૂરી કામ કરતા અને ઓરડીમાં રહેતા પરિવારમાં પરણિતાને પોતાના માતા-પિતાના ઘરે જવું હોય પકિ પાસે પૈસાની માગણી કરી હતી જોકે પતિએ પૈસા ન આપતા તે બાબતે પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઇ હતી અને ત્યારે ઉશ્કેરાટમાં આવીને પરિણીતાએ પોતાના શરીર ઉપર જવલંતશીલ પદાર્થ છાંટીને કાંડી ચાંપી લીધી હતી જેથી કરીને ગંભીર રીતે દાઝી ગયેલી પરિણીતાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે.જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ વાંકાનેરના આરોગ્યનગરના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આવેલ સિરામિક કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતાં મહેન્દ્રભાઈ મઠીયાના પત્ની કુસુમબેન (ઉંમર વર્ષ 33) પોતાના માતા-પિતાના ઘરે વતનમાં જવું હતું જેથી કરીને તેના પતિ પાસે પૈસાની માગણી કરી હતી જોકે પતિ એ પૈસા ન આપતા તે બાબતે પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઇ હતી અને તે બાબતનું મનમાં લાગી આવતા પરિણીતાએ પોતાના ઘરની અંદર જ શરીર ઉપર જવલંતશીલ પદાર્થ છાંટી કાંડી ચાંપી દીધી હતી જેથી પરિણીતા ગંભીર રીતે દાઝી ગઈ હોવાથી તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન પરિણીતાનું મૃત્યુ નીપજતાં હાલમાં મોરબી તાલુકા પોલીસને આ બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News