મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડે નીલકંઠ સોસાયટીમાં ભાર શિયાળે પાણીની મોકાણ !


SHARE











મોરબીના નવલખી રોડે નીલકંઠ સોસાયટીમાં ભાર શિયાળે પાણીની મોકાણ !

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા છે જેને ઉકેલવામાં આવી રહી નથી જેથી કરીને રોષે ભરાયેલા સ્થાનિક લોકો ગઇકાલે પાલિકા કચેરીએ આવ્યા હતા અને પાણી માટે લોકો રજૂઆત કરવા માટે આવ્યા ત્યારે પાલિકામાં અધિકારી કે પદાધિકારીએ હાજર ન હોવાથી લોકોમાં ભારે રોશની લાગણી જોવા મળી હતી

મોરબીના ઘણા વિસ્તારોમાં પાણીનો બગાડ થાય છે અને ઘણી જગ્યાએ લોકોને પીવાના પાણી માટે પણ ફાંફા હોય છે આવી જ રીતે મોરબીના નવલખી રોડ ઉપર નીલકંઠ સોસાયટીમાં પાણી નિયમિત રીતે આવતું નથી અને છેલ્લા ઘણા સમયથી લોકો પાણી માટે હેરાન છે અને ત્રણ વર્ષથી આ સોસાયટી બનાવવામાં આવી છે તો પણ લોકો પાણી આપવામાં આવતું નથી જેથી ૧૫૦ મકાનોમાં રહેતા ૧૦૦૦ થી વધુ લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે અને શિયાળામાં પાણી માટે લોકોને હેરાન થવું પડે છે માટે લોકો પાલિકામાં રજૂઆત કરવા માટે આવ્યા હતા ત્યારે પાલિકાના અધિકારી કે પદાધિકારીએ હાજર ન હોવાથી નીલકંઠ સોસાયટીના લોકો રોષે ભરાયા હતા 






Latest News