મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના સંચાલિત નંદીઘર ગૌશાળા માટે મકરસંક્રાંતિએ ખુલ્લા હાથે દાન આપવા અપીલ


SHARE













મોરબી પાલિકાના સંચાલિત નંદીઘર ગૌશાળા માટે મકરસંક્રાંતિએ ખુલ્લા હાથે દાન આપવા અપીલ

મોરબીના લોકોને રઝડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ આપવા માટે પાલિકા દ્વારા પંચાસર રોડ ઉપર આવેલ પાલિકાની જગ્યામાં નંદીઘર ગૌશાળા બનાવવામાં આવેલ છે અને શહેરમાં રઝડતા  આખલાને પકડીને ત્યાં મૂકવામાં આવી રહ્યા છે ત્યારે આ અબોલ જીવના નિભાવા માટે મકરસંક્રાંતિ પર્વે લોકો દ્વારા ઘાસચારાનું દાન ખુલ્લા હાથે આપવામાં આવે તેવી પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતનાઓ દ્વારા અપીલ કરવામાં આવી છે

સામાન્ય રીતે મકરસંક્રાંતિ પર્વેને દાનનું પર્વ પણ કરવામાં આવે છે અને લોકો દ્વારા દાન પણ કરવામાં આવે છે ત્યારે પાલિકા દ્વારા સંચાલિત નંદીઘરના રાખવામા આવેલ આખલામાં નિભાવા માટે પણ નગરજનો દ્વારા દાન કરવામાં આવે તે જરૂરી છે માટે પાલિકાના પ્રમુખ કુસુમબેન કરમશીભાઈ પરમાર અને ઉપ પ્રમુખ જયરાજસિંહ જાડેજા તેમજ પાલિકના ચેરમેન સુરેશભાઇ દેસાઇ, પ્રભુભાઈ ભૂત અને સભ્યો તેમજ મનુભાઈ સરેશા સહિતનાઓ દ્વારા મકરસંક્રાંતિગૌવંશો માટે લીલોચારો સહિતની સહાય કરીને દાન કરવામાં આવે તેવી જાહેર અપીલ કરવામાં આવી છે 






Latest News