મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના સંચાલિત નંદીઘર ગૌશાળા માટે મકરસંક્રાંતિએ ખુલ્લા હાથે દાન આપવા અપીલ


SHARE











મોરબી પાલિકાના સંચાલિત નંદીઘર ગૌશાળા માટે મકરસંક્રાંતિએ ખુલ્લા હાથે દાન આપવા અપીલ

મોરબીના લોકોને રઝડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ આપવા માટે પાલિકા દ્વારા પંચાસર રોડ ઉપર આવેલ પાલિકાની જગ્યામાં નંદીઘર ગૌશાળા બનાવવામાં આવેલ છે અને શહેરમાં રઝડતા  આખલાને પકડીને ત્યાં મૂકવામાં આવી રહ્યા છે ત્યારે આ અબોલ જીવના નિભાવા માટે મકરસંક્રાંતિ પર્વે લોકો દ્વારા ઘાસચારાનું દાન ખુલ્લા હાથે આપવામાં આવે તેવી પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતનાઓ દ્વારા અપીલ કરવામાં આવી છે

સામાન્ય રીતે મકરસંક્રાંતિ પર્વેને દાનનું પર્વ પણ કરવામાં આવે છે અને લોકો દ્વારા દાન પણ કરવામાં આવે છે ત્યારે પાલિકા દ્વારા સંચાલિત નંદીઘરના રાખવામા આવેલ આખલામાં નિભાવા માટે પણ નગરજનો દ્વારા દાન કરવામાં આવે તે જરૂરી છે માટે પાલિકાના પ્રમુખ કુસુમબેન કરમશીભાઈ પરમાર અને ઉપ પ્રમુખ જયરાજસિંહ જાડેજા તેમજ પાલિકના ચેરમેન સુરેશભાઇ દેસાઇ, પ્રભુભાઈ ભૂત અને સભ્યો તેમજ મનુભાઈ સરેશા સહિતનાઓ દ્વારા મકરસંક્રાંતિગૌવંશો માટે લીલોચારો સહિતની સહાય કરીને દાન કરવામાં આવે તેવી જાહેર અપીલ કરવામાં આવી છે 






Latest News