મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના એકતા એ જ લક્ષ્ય સંગઠને વક્ફ અધિનિયમ ૧૯૯૫ ને રદ કરવાની કરી માંગ


SHARE







મોરબીના એકતા એ જ લક્ષ્ય સંગઠને વક્ફ અધિનિયમ ૧૯૯૫ ને રદ કરવાની કરી માંગ

મોરબીના એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને વક્ફ અધિનિયમ ૧૯૯૫ ને રદ કરવા તેમજ ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડ ટ્રિબ્યુનલોનું વિઘટન કરવાની માંગ કરવામાં આવી છે અને આ સંગઠન દ્વારા જે રજુઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, વકફ બોર્ડ દ્વારા સરકારી અર્ધ સરકારી જમીન સંપાદન કરી વકફ બોર્ડ સતત વધી જવા પામેલ છે અને ગેરકાયદે જમીનનો કબ્જો કરીને રાષ્ટ્રવ્યાપી ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે અને ભારતીય બંધારણની ઉપરવટ જઈને વકફ એક્ટ-૧૯૯૫ ની કલમનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે અને કાયદાનો ખુલ્લે આમ ભંગ થાય છે તેવું દેખાઈ રહ્યું છે ત્યારે વક્ફ અધિનિયમ ૧૯૯૫ રદ કરવામાં આવે અને ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડ ટ્રિબ્યુનલોનું વિઘટન કરવામાં આવે તેવી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ રાઠોડ ભગીરથસિંહના નેતૃત્વમાં માંગ કરવામાં આવી છે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે યોગેશ ભારથી ગૌસ્વામી, સત્યજીતસિંહ રાઠોડ, ધાર્મિક પટેલ, જાડેજા મહિદીપસિંહ, સાવનભાઈ ગજ્જર, રાહુલભાઈ ઠાકોર, માધવભાઈ બતાળા, પંકજભાઈ અગોલા, જય ભીમાણી, ખુશાલ વડલિયા, રૂપેશ રાણપરા, ભટ્ટી યશ, ભાવિન ચાવડા, શિવમભાઈ ઠાકોર, કાલરીયા જીતેન્દ્ર, બાબુભાઈ રબારી સહિતના સંગઠનના કાર્યકર્તા ભાઈઓ હજાર રહ્યા હતા






Latest News