મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી
Breaking news
Morbi Today

મોરબીમાં માતૃશ્રીની શ્રધ્ધાંજલી નિમિતે નિઃશુલ્ક ભકિત યોગ શિબિર યોજાઇ


SHARE











મોરબીમાં માતૃશ્રીની શ્રધ્ધાંજલી નિમિતે નિઃશુલ્ક ભકિત યોગ શિબિર યોજાઇ

મોરબીના વાલજીભાઈ ડાભી, લાલજીભાઈ ડાભી તથા હરેશભાઈ ડાભીના માતૃશ્રી સ્વ.માણેકબેન પ્રેમજીભાઈ ડાભીની શ્રધ્ધાંજલી નિમિતે અહીંના ઉમા હોલ રવાપર રોડ ખાતે ભકિતયોગ શિબિર તેમજ વૈદિક યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. યોગએ ભારતીય સંસ્કૃતિની દેન છે. યોગ દ્વારા આપણા જીવનમાં શારીરિક, માનસિક અને આધ્યાત્મિકતા આવે છે. યોગ શિબિર દ્વારા લોકોના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવે તેવા આશયથી આયોજન કરવામાં આવ્યુ હતુ. શિબિરમાં યોગાસન, પ્રાણાયામ, મુદ્રા, ધ્યાન, બંધ, સુક્ષ્મ, વ્યાયામ તેમજ વિવિધ રોગોમાં કુદરતી ઉપચાર અને આર્યુવેદિક ઔષધિઓનું જ્ઞાન આપવામાં આવ્યુ હતુ.જીવનમાં સ્વસ્થ રહેવા માટે પ્રાકૃતિક તેમજ કુદરતી ઉપચાર અને જીવન જીવવાની કળાનું જ્ઞાન આપવામાં આવ્યુ હતુ.બહોળી સંખ્યામાં ભાઈઓ તથા બહેનોએ શિબિરનો લાભ લીધો હતો.






Latest News