મોરબીના લજાઈ પાસે બોલેરો-બાઇક અથડામણ, ત્રણ લોકો સારવાર મોરબીમાં વીજ કંપનીનો જર્જરિત વીજ પોલ તૂટી પડતાં ઇજા પામેલ વૃદ્ધા સારવારમાં વિશ્વ કક્ષાના ઉદ્યોગની કમર તૂટી જશે: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં 11 રૂપિયાનો વધારો, કારખાના બંધ થવાના સંકેત મોરબીના રંગપર નજીક કારખાનાના કવાર્ટરોમાંથી 7 મોબાઈલની ચોરીના ગુનામાં 3 આરોપી પકડાયા મોરબીના વોર્ડ નં. 1 માં ચાલતા વિકાસ કામોનું નિરીક્ષણ કરીને મેયર સહિતના પદાધિકારીઓએ કરી સમિક્ષા મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા જન્માષ્ટમીની ભક્તિમય અને રંગારંગ ઉજવણી કરાઇ મોરબી: દૂધેશ્વર મહાદેવ મંદિરનો અમાસનો મેળો આ વર્ષે બંધ રહેશે, દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે મોરબીના કન્યા છાત્રાલય રોડને આરસીસી રોડ બનાવવા કોંગ્રેસનાં આગેવાને કમિશનરને કરી રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના કન્યા છાત્રાલય રોડને આરસીસી રોડ બનાવવા કોંગ્રેસનાં આગેવાને કમિશનરને કરી રજૂઆત


SHARE





મોરબીના કન્યા છાત્રાલય રોડને આરસીસી રોડ બનાવવા કોંગ્રેસનાં આગેવાને કમિશનરને કરી રજૂઆત

મોરબીમાં સરદાર બાગની સામેથી હાઇવે સુધી જતાં રોડ ઉપર અનેક ખાડા છે જેથી કરીને વિદ્યાર્થીઓએ તેમજ દર્દીઓ સહિતના હેરાન થાય છે માટે મોરબીના કન્યા છાત્રાલય રોડને વહેલી તકે આરસીસી રોડ બનાવવામાં આવે તેવી મોરબી શહેર કોંગ્રેસ સંગઠનના મંત્રીએ મહાપાલિકાના કમિશનરને રજુઆત કરેલ છે.

મોરબી શહેર કોંગ્રેસ સંગઠન મંત્રી તથા ઉપપ્રમુખ જોડિયા તાલુકા રાજપુત સમાજ સુરપાલસિંહ જાડેજાએ મહાપાલિકાના કમિશનરને લેખિતમાં રજુઆત કરેલ છે. જેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં સરદારબાગ સામે ઓમ શાંતિ સ્કૂલથી કન્યા છાત્રાલય રોડ જે હાઇવે સુધી પહોંચે છે તે રોડ અતિબિસ્મા હાલતમાં છે જેથી વાહન ચાલકો સહિતના લોકોને હેરાન ગતિનો સામનો કરવો પડે છે ઉલેખનીય છે કે, આ રોડ પર પાંચ સ્કૂલ-પ્લે હાઉસ, બે હોસ્પિટલ આવેલા છે જેથી ત્યાં સતત ટ્રાફિક રહે છે અને વિદ્યાર્થીઓએ તેમજ દર્દીઓ સહિતના હેરાન થાય છે આટલું જ નહીં પરંતુ રોડ ખરાબ હોવાથી વાહન સ્લીપ થવાના પણ બનાવો  બને છે. અને નાના મોટા અકસ્માતો પણ થયા છે જેથી લોકોની સુખાકારી માટે વહેલી તકે આ રોડનું કામ શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે.




Latest News