મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

યે આગ કબ બુઝેગી ?: મોરબી નજીક મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ 8 દિવસ પણ યથાવત, બળેલો માલ હટાવવા અને કુલિંગનું કામ હજુ પણ ચાલુ


SHARE







યે આગ કબ બુઝેગી ?: મોરબી નજીક મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ 8 દિવસ પણ યથાવત, બળેલો માલ હટાવવા અને કુલિંગનું કામ હજુ પણ ચાલુ

મોરબીના રફાળેશ્વર ગામ પાસે મગફળીના ગોડાઉનમાં એક સપ્તાહ પહેલા આગ લાગી હતી જેને કાબૂમાં કરવા માટે તાત્કાલિક ફાયરની ટીમને બોલાવવામાં આવી હતી જો કે, આ ઘટનાને 8 દિવસ થઈ ગયા છે તો પણ ગોડાઉનમાં લાગેલી આગ હજુ સો ટકા કાબુમાં આવેલ નથી અને જેથી સ્થળ ઉપરથી બળેલી મગફળી હટાવવામાં આવ્યા બાદ કુલિંગ કરવા માટે 2 ફાયર ફાઈટરને સ્થળ ઉપર રાખીને સતત પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે

મોરબીના રફાળેશ્વર ગામ પાસે મેજિક સિરામિકના ગોડાઉનમાં નાફેડ દ્વારા ખરીદી કરવામાં આવેલ મગફળીના જથ્થાને મૂકવામાં આવેલ હતો તે મગફળીના જથ્થામાં શનિવારે તા. 4/7/26 ના રોજ બપોરે દોઢ વાગ્યાના અરસામાં આગ લાગવાની ઘટના બની હતી જેની મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ત્યાર બાદ આગ વિકરાળ હોવાથી મેજર કોલ જાહેર કરીને મોરબી ઉપરાંત રાજકોટ, જામનગર અને વાંકાનેરથી ફાયર ફાઇટરોને બોલાવવામાં આવ્યા હતા.

જો કે, હજુ પણ આગ સો ટકા કાબૂ આવેલ નથી જેથી આજે શનિવારે સાંજે પણ 3 ફાયર ફાઇટરોને સ્થળ ઉપર રાખીને આગ ઉપર સતત પાણીનો મારો કરીને કુલિંગ કરવા માટેનું કામ કરવામાં આવી રહ્યું છે સાથોસાથ 5 હિટાચી મશીનથી બળી ગયેલ મગફળીને 3 ડમ્પર મારફતે બહાર કાઢવા માટેની પણ કામગીરી ચાલી રહી છે અને હજુ પણ અંદાજે બે દિવસ જેટલો સમય લાગે તેવી શક્યતા ફાયર વિભાગના અધિકારી દેવેન્દ્રસિંહ જાડેજાએ વ્યક્ત કરી છે.

ઉલેખનીય છે કે, આ ગોડાઉનમાં ટેકાના ભાવે ખરીદી કરેલ મગફળીની 35 કિલો વજનની એક એવી કુલ મળીને 1,59,581 ગુણી મૂકવામાં આવી હતી જેની કુલ કિંમત 44,46,31,899 રૂપિયા થતી હતી જો કે, ગોડાઉનમાં આગ લાગવાથી કરોડો રૂપિયાની મગફળી બળીને ખાખ થઈ ગયેલ છે આટલું જ નહીં પરંતુ કારખાનાનો શેડ પણ તૂટી ગયો છે હાલમાં આ બનાવની આગળની તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એન.એસ.ઘેટીયા અને તેની ટિમ કરી રહી છે.






Latest News