મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકાની ડમ્પિંગ સાઇટ ઉપર જાહેરમાં મૃત ગૌ વંશોને ફેંકવા મામલે મેયરને જાહેરમાં હિન્દુ સંગઠનના આગેવાનોએ તતડવી નાખ્યા: એક કર્મચારીને તાત્કાલિક પાણીચું


SHARE







મોરબી મહાપાલિકાની ડમ્પિંગ સાઇટ ઉપર જાહેરમાં મૃત ગૌ વંશોને ફેંકવા મામલે મેયરને જાહેરમાં હિન્દુ સંગઠનના આગેવાનોએ તતડવી નાખ્યા: એક કર્મચારીને તાત્કાલિક પાણીચું

 મોરબી શહેરમાં જુદાજુદા વિસ્તારમાં રજડતા ઢોર મૃત્યુ પામે તો તેનો યોગ્ય નિકાલ કરવાનો હોય છે જો કે, મોરબીના જુદાજુદા વિસ્તારમાં મૃત્યુ પામેલા ગૌ વંશોનો યોગ્ય નિકાલ કરવાના બદલે લાલપર ગામ પાસે આવેલ ડમ્પિંગ સાઇટ ઉપર જાહેરમાં ફેંકી દેવામાં આવ્યા હતા જેની જાણ હિન્દુ સંગઠનના આગેવાનોને થઈ હતી જેથી તેઓ ત્યાં પહોચ્યા હતા ત્યાર બાદ મહાપાલિકાના અધિકારી અને પદાધિકારી સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ત્યારે હિન્દુ સંગઠનના આગેવાનોએ મેયર સહિતના પદાધિકારીઓને ઘાઘલવી નાખ્યા હતા અને ત્યાર બાદ સાંજે સબંધિત વિભાગના હંગામી કર્મચારીને તાત્કાલિક અસરથી મહાપાલિકામાંથી છૂટો કરી દેવામાં આવેલ હતો અને મૃત ગૌ વંશોનો યોગ્ય રીતે નિકાલ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી.

મોરબી મહાનગરપાલિકા સંચાલિત નંદીઘરમાં નંદીઓના મૃત્યુ થયા હતા તેને ધ્યાને રાખીને તાજેતરમાં મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં નંદીઘરની વર્તમાન એજન્સીનો કોન્ટ્રાકટ રદ કર્યો છે અને તેવામાં  મોરબીના લાલપર ગામ પાસે આવેલ ડમ્પિંગ સાઇટ ઉપર મૃત હાલતમાં ગૌ વંશોને જાહેરમાં ફેંકી દેવામાં આવ્યા હતા જેની જાણ હિન્દુ સંગઠનના આગેવાનોને થતાં કમલભાઇ દવે, ભવિનભાઇ ભટ્ટ સહિતના ત્યાં પહોચ્યા હતા ત્યાર બાદ મહાપાલિકાના મેયર ઉતમ સુરાણી સહિતના પદાધિકારીઓ અને ડેપ્યુટી કમિશનર સંજય સોની સહિતના અધિકારીઓએ ત્યાં સ્થળ ઉપર દોડી આવ્યા હતા ત્યારે ગૌવંશના મૃતદેહોને દફનાવવાના બદલે જાહેરમાં કચરાની સાથે ફેંકી દેવામાં આવેલ હતા જેથી ત્યાં દુર્ગંધ આવતી હોય સ્થળ ઉપર આવેલા પદાધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પોતાના નાક પાસે રૂમાલ રાખીને હિન્દુ સંગઠનના આગેવાનો સાથે વાત કરી રહ્યા હતા. જેથી વિશ્વ હિંદુ પરિષદ અગ્રણી કમલભાઈ દવે સહિતના આગેવાનોએ મેયર સહિતનાઓને તતડાવી નાખ્યા હતા અને હિંદુત્વના નામે મત લઈને મહાપાલિકા 52 ને 52 બેઠક ભાજપને આવેલ છે અને તેના માટે ભાજપે મહેનત નથી કરી તેટલી મહેનત સંઘ પરિવારે કરી છે તેવું પણ હોય સ્થળ ઉપર આવેલા મેયર સહિતના પદાધિકારીઓને મોઢા મોઢ કહી દેવામાં આવ્યું હતું આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈને મહાપલિકા દ્વારા તાત્કાલિક અસરથી જવાબદાર હંગામી કર્મચારી ખાંભલા નિમેશભાઈને છૂટા કરવામાં આવેલ છે અને લાલપર પાસે જે મૃત ગૌવંશને આડેધડ ફેંકવામાં આવેલ હતા તેનો તાત્કાલિક યોગ્ય નિકાલ કરવા માટેની કાર્યવાહી મહાપાલિકા દ્વારા કરવામાં આવી હતી તેવી માહિતી કમલભાઈ દવે દ્વારા આપવામાં આવી હતી. 






Latest News