મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીમાં બેંકની લોન ભરપાઈ કરનારા ગ્રાહકના મકાનો દસ્તાવેજ બેંકે ખોઈ નાખ્યો !, ગ્રાહક કોર્ટે આપ્યો મહાવપૂર્ણ ચુકાદો


SHARE





મોરબીમાં બેંકની લોન ભરપાઈ કરનારા ગ્રાહકના મકાનો દસ્તાવેજ બેંકે ખોઈ નાખ્યો !, ગ્રાહક કોર્ટે આપ્યો મહાવપૂર્ણ ચુકાદો

મોરબી સામાકાંઠામાં અરૂણોદયનગરમાં રહેતા દિનેશચંદ્ર જેચંદભાઈ મહેતાએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પરા બઝારમાંથી મકાન લોન લીધેલ હતી અને લોન પુરી થયા છતા દસ્તાવેજ પરત નહી આપતા તેમણે મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્રારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરતા કોર્ટે હુકમ કર્યો હતો કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ દસ્તાવેજ પરત કરવો અને રૂપિયા ૧૦,૦૦૦ ખર્ચના આપવાના રહેશે.

મોરબી સામાકાંઠામાં અરૂણોદયનગરમાં રહેતા દિનેશચંદ્ર જેચંદભાઈ મહેતાએ તેનું મકાન સુમતીનગર, વાવડી રોડ પર હતું તેના ઉપર તા. ૧૬/૧૨/૨૩ ના રૂપિયા ૫,૦૦,૦૦૦ ની લોન લીધેલી તે તમામ રકમ તા. ૩/૧૨/૨૪ માં ભરપાઈ કરી આપેલ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ એન.ઓ.સી. આપેલ પણ ફરીયાદીના મકાનનો અસલ દસ્તાવેજ પરત આપેલ નહીં. અને ફરીયાદીએ અવાર નવાર બેંકે ધક્કા ખાધા ત્યારે અંતે તેને એવું કહેવામાં આવ્યું કે તમારા મકાનના દસ્તાવેજની ફાઈલ ખોવાઈ ગયેલ છે. તેથી નહી મળતા દિનેશચંદ્ર જેચંદભાઈ મહેતાએ મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષાના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા મોરબી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરીયાદ દાખલ કરેલ હતી અને આ કેસ ગ્રાહક કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં જજ સાહેબે બેંકના અધિકારીને કહ્યું હતું કે ગ્રાહકે પૈસા ભરી આપેલ છે તમારે દસ્તાવેજની ફાઈલ આપવી જોઈએ. ગ્રાહકે મકાન વહેંચવું હોય, લોન લેવી હોય તો તે કેવી રીતે લઈ શકે. તમારી સેવામાં ખામી છે તમારાથી ફાઇલ ખોવાઈ કેમ ? તમારી જવાબદારી છે. માટે તમારી સેવામાં ખામી બદલ કોર્ટે દિનેશચંદ્ર જેચંદભાઈ મહેતાને દસ્તાવેજની નકલ બેંકના સ્વખર્ચે રજીસ્ટાર ઓફીસમાંથી કઢાવીને આપવી અને ખર્ચ પેટે રૂપિયા ૧૦,૦૦૦ ચુકવવાનો આદેશ આપેલ છે. તેવી માહિતી સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા અને ઉપપ્રમુખ હિતેશભાઈ મહેતા પાસેથી જણાવ મળેલ છે.




Latest News