મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં NAKSHA પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ડિજિટલ લેન્ડ રેકોર્ડ આધુનિકીકરણ તરફ મહત્વપૂર્ણ પહેલ


SHARE





મોરબી શહેરમાં NAKSHA પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ડિજિટલ લેન્ડ રેકોર્ડ આધુનિકીકરણ તરફ મહત્વપૂર્ણ પહેલ

ભારત સરકારના ભૂમિ સંસાધન વિભાગ દ્વારા અમલમાં મુકાયેલ ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકર્ડ મોર્ડનાઇઝેશન પ્રોગ્રામ (DILRMP) અંતર્ગત "NAKSHA" (National Geospatial Knowledge-based Land Survey of Urban Habitation) પાયલોટ પ્રોજેક્ટ હવે મોરબી શહેરમાં અમલમાં છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ શહેરના વિસ્તારોમાં જમીન સંબંધિત રેકર્ડ, મિલકત સીમાઓ અને હકદારીની માહિતીનું આધુનિક ટેક્નોલોજી દ્વારા સર્વેક્ષણ કરી વધુ ચોક્સાઈભર્યું, પારદર્શક અને વિશ્વસનીય ડિજિટલ ડેટાબેઝ તૈયાર કરવાનો છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત જીઓસ્પેશિયલ ટેક્નોલોજી, ડિજિટલ મેપિંગ અને આધુનિક સર્વે સાધનોનો ઉપયોગ કરીને શહેરી વિસ્તારોની જમીન સંબંધિત માહિતીનું અપડેટેડ રેકર્ડ તૈયાર કરવામાં આવશે. જેના પરિણામે જમીનના નકશા અને દસ્તાવેજોમાં રહેલી વિસંગતતાઓ દૂર થશે. તેમજ નાગરિકોને મિલકત્ત સંબંધિત સેવાઓ સરળતાથી પ્રાપ્ત થઈ શકશે. નક્શા પ્રોજેક્ટથી મોરબી શહેરમાં મિલ્કત ખરીદી-વેચાણ વારસાઈ હક, વિકાસ પ્રક્રિયા અને શહેર આયોજનમાં પારદર્શિતા અને કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે તથા આ સાથે જ જમીન સંબંધિત વિવાદોમાં ઘટાડો થશે અને વિકાસ કાર્યોને વધુ ગતિ મળશે. વિવિધ સરકારી યોજનાના લાભતથા વારસાઇ, વેચાણ ઝડપી બનશે. NAKSHA પ્રોજેક્ટ માધ્યમથી મોરબી શહેરના મિલ્કત રેકર્ડને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં આવશે. મિલક્તોના નકશા અને દસ્તાવેજોમાં ગેરસમજ તથા વિવાદો દૂર થશે. ભવિષ્યમાં નગર આયોજન પ્રક્રીયા વધુ વૈજ્ઞાનિક અને પારદર્શક બનશે.




Latest News