મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં બેંકની લોન ભરપાઈ કરનારા ગ્રાહકના મકાનો દસ્તાવેજ બેંકે ખોઈ નાખ્યો !, ગ્રાહક કોર્ટે આપ્યો મહાવપૂર્ણ ચુકાદો


SHARE







મોરબીમાં બેંકની લોન ભરપાઈ કરનારા ગ્રાહકના મકાનો દસ્તાવેજ બેંકે ખોઈ નાખ્યો !, ગ્રાહક કોર્ટે આપ્યો મહાવપૂર્ણ ચુકાદો

મોરબી સામાકાંઠામાં અરૂણોદયનગરમાં રહેતા દિનેશચંદ્ર જેચંદભાઈ મહેતાએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પરા બઝારમાંથી મકાન લોન લીધેલ હતી અને લોન પુરી થયા છતા દસ્તાવેજ પરત નહી આપતા તેમણે મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્રારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરતા કોર્ટે હુકમ કર્યો હતો કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ દસ્તાવેજ પરત કરવો અને રૂપિયા ૧૦,૦૦૦ ખર્ચના આપવાના રહેશે.

મોરબી સામાકાંઠામાં અરૂણોદયનગરમાં રહેતા દિનેશચંદ્ર જેચંદભાઈ મહેતાએ તેનું મકાન સુમતીનગર, વાવડી રોડ પર હતું તેના ઉપર તા. ૧૬/૧૨/૨૩ ના રૂપિયા ૫,૦૦,૦૦૦ ની લોન લીધેલી તે તમામ રકમ તા. ૩/૧૨/૨૪ માં ભરપાઈ કરી આપેલ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ એન.ઓ.સી. આપેલ પણ ફરીયાદીના મકાનનો અસલ દસ્તાવેજ પરત આપેલ નહીં. અને ફરીયાદીએ અવાર નવાર બેંકે ધક્કા ખાધા ત્યારે અંતે તેને એવું કહેવામાં આવ્યું કે તમારા મકાનના દસ્તાવેજની ફાઈલ ખોવાઈ ગયેલ છે. તેથી નહી મળતા દિનેશચંદ્ર જેચંદભાઈ મહેતાએ મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષાના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા મોરબી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરીયાદ દાખલ કરેલ હતી અને આ કેસ ગ્રાહક કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં જજ સાહેબે બેંકના અધિકારીને કહ્યું હતું કે ગ્રાહકે પૈસા ભરી આપેલ છે તમારે દસ્તાવેજની ફાઈલ આપવી જોઈએ. ગ્રાહકે મકાન વહેંચવું હોય, લોન લેવી હોય તો તે કેવી રીતે લઈ શકે. તમારી સેવામાં ખામી છે તમારાથી ફાઇલ ખોવાઈ કેમ ? તમારી જવાબદારી છે. માટે તમારી સેવામાં ખામી બદલ કોર્ટે દિનેશચંદ્ર જેચંદભાઈ મહેતાને દસ્તાવેજની નકલ બેંકના સ્વખર્ચે રજીસ્ટાર ઓફીસમાંથી કઢાવીને આપવી અને ખર્ચ પેટે રૂપિયા ૧૦,૦૦૦ ચુકવવાનો આદેશ આપેલ છે. તેવી માહિતી સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા અને ઉપપ્રમુખ હિતેશભાઈ મહેતા પાસેથી જણાવ મળેલ છે.






Latest News