મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

હળવદના રાણેકપર ગામે મંદિરમાં જાળી અને એંગલ લગાવવાનું કામ કરતા વૃદ્ધ સહિત કુલ પાંચ વ્યક્તિઓને 2 મહિલા સહિત કુલ 12 વ્યક્તિઓએ ધોકા, પાઇપ અને ધારીયા વડે માર માર્યો


SHARE







હળવદના રાણેકપર ગામે મંદિરમાં જાળી અને એંગલ લગાવવાનું કામ કરતા વૃદ્ધ સહિત કુલ પાંચ વ્યક્તિઓને 2 મહિલા સહિત કુલ 12 વ્યક્તિઓએ ધોકા, પાઇપ અને ધારીયા વડે માર માર્યો

હળવદના રાણેકપર ગામે નીલકંઠ મહાદેવ મંદિર માં જાળી અને એંગલ ફીટ કરવાનું કામ કરતાં વૃદ્ધ સહિતના કુલ પાંચ વ્યક્તિઓને બે મહિલા સહિત કુલ 12 વ્યક્તિઓ દ્વારા ધારિયા, ધોકા અને પાઇપ વડે શરીરે આડેધડ માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે હાલમાં બે મહિલા સહિત 12 લોકોની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ તાલુકાના રાણેકપર ગામે નીલકંઠ મહાદેવ મંદિરની બાજુમાં રહેતા રતિલાલભાઈ પ્રભુભાઈ બાબરીયા (61)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચતુરભાઈ વાલજીભાઈ, નિકુલભાઈ મઘાભાઈ, ભાણજીભાઈ ચતુરભાઈ, અનિલભાઈ હેમુભાઈ, હેમુભાઇ વાલજીભાઈ, બાબુભાઈ વાલજીભાઈ, દાદુભાઇ બાબુભાઈ, શૈલેષભાઈ મઘાભાઈ, સુજલભાઈ શામજીભાઈ, શામજીભાઈ હેમુભાઇ, શિલ્પાબેન અનિલભાઈ તેમજ મનીષાબેન શામજીભાઈ રહે બધા રાણેકપર વાળા ની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી અને સાહેદ નીલકંઠ મહાદેવ મંદિરના ગ્રાઉન્ડમાં જાળી અને એંગલ ફીટ કરી રહ્યા હતા જે બાબતનો ખાર રાખીને આરોપીઓ ધારીયા, પાઇપ, ધોકા વગેરે હથિયાર સાથે નીલકંઠ મહાદેવ મંદિરના ગ્રાઉન્ડમાં આવ્યા હતા અને ત્યાં ફરિયાદી તથા સાહેદોને આડેધડ માર્યો હતો ત્યારે મુકેશભાઈ અને જયસુખભાઈને માથાના ભાગે માર મારીને ગંભીર કરી હતી જ્યારે ચંદ્રિકાબેન અને જ્યોત્સનાબેનને માર મારીને હાથમાં ફ્રેક્ચર જેવી ઇજાઓ કરી હતી તેમજ પ્રભુભાઈ ને માથાના ભાગે માર મારીને ઇજા કરી હતી આમ ફરિયાદી સહિત કુલ પાંચ વ્યક્તિઓને ઈજા થઈ હોવાથી ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને આરોપીઓએ ફરિયાદી અને સાહેદોને માર મારી ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News