મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીમાં રાજયમંત્રી કાંતિભાઇ અમૃતીયાની હાજરીમાં વૃક્ષારોપણ અને જનકલ્યાણ શિબિર યોજાઇ


SHARE







મોરબીમાં રાજયમંત્રી કાંતિભાઇ અમૃતીયાની હાજરીમાં વૃક્ષારોપણ અને જનકલ્યાણ શિબિર યોજાઇ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે મોરબીના ભક્તિનગર સર્કલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના ધારાસભ્ય અને રાજયમંત્રી કાંતિભાઇ અમૃતીયા હાજર રહ્યા હતા અને પ્રધાનમંત્રીના હરિયાળા ભારતના સંકલ્પને સાકાર કરવા સૌ પ્રતિબદ્ધ થયા હતા. તેમજ મોરબીના શનાળા રોડ ખાતે સુશાસનના ૧૨ વર્ષની ભવ્ય ઉજવણી નિમિત્તે આયોજિત 'જનકલ્યાણ શિબિર' માં ઉપસ્થિત રહી નાગરિકો સાથે સંવાદ કર્યો હતો. છેલ્લા એક દાયકાથી વધુ સમયથી સરકારની કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચી રહી છે અને મોરબી સહિત સમગ્ર ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. આ શિબિર થકી અનેક લાભાર્થીઓને સ્થળ પર જ સરકારી યોજનાઓનો લાભ આપી તેમના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પ્રજાના વિશ્વાસ પર ખરા ઉતરીને પ્રગતિના આ પથ પર અવિરત આગળ વધવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.તેમ મંત્રી અમૃતીયાએ જણાવ્યું હતુ. આ તકે મોરબીના મેયર ઉતમભાઇ સુરાણી, કલેક્ટર સ્વપ્નિલ ખરે તેમજ ચૂંટાયેલા સભ્યો, ભાજપના આગેવાનો અને હોદેદારો તેમજ અધિકારીઓએ સહિતના હાજર રહ્યા હતા.






Latest News