મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો ટંકારાના ડેમી-2 ડેમના 2 દરવાજા ચેકડેમો ભરવા માટે 1 ફૂટ ખોલ્યા ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીઓની હાજરીના કૌભાંડમાં તટસ્થ તપાસની કોંગ્રેસની માંગ કરી


SHARE











મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીઓની હાજરીના કૌભાંડમાં તટસ્થ તપાસની કોંગ્રેસની માંગ કરી

મોરબી મહાપાલિકામાં તાજેતરમાં રોજમદાર કર્મચારીઓનું હાજરી કૌભાંડ બહાર આવ્યું છે જેમાં અગાઉના કૌભાડોની જેમ ભીનું સંકેલી ન લેવામાં આવે તે માટે મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખ દ્વારા કમિશ્નરને લેખિતમાં રજૂઆત કરીને તટસ્થ તપાસ કરવાની માંગ કરવામાં આવેલ છે.

મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ હાલમાં મહાપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરી જેમાં જણાવ્યુ છે કે, મહાપાલિકામાં કામ કરતા રોજમદાર કર્મચારીઓની હજારીમાં લાખો રુપિયાનું કૌભાંડ સામે આવ્યું છે અને હાજરી મશીનમાં મહાપલીકમાં કામ ન કરતાં હોય તેવા કર્મચારીઓની હાજરી ભરીને તેના પગાર લેવામાં આવેલ હોવાનું સામે આવ્યું છે. અને ગેરહાજર કર્મચારીઓની હાજરી આંગળીઓ અને અંગૂઠાથી ભરી દેવામાં આવતી હતી. જેથી સરકારી સંસ્થા સાથે વિશ્વાસઘાત અને નાણાકીય ઉચાપત કરનારાઓ અને કૌભાંડમાં સંડોવાયેલા તમામ સામે તટસ્થ તપાસ કરીને આકરા પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામા આવી છે.

વધુમાં શહેર કોંગ્રેસનાં પ્રમુખે જણાવ્યુ છે કે, અગાઉ પાલિકા હતી ત્યારે સિમેન્ટની થેલીઓ લીધેલ હતી જે પથ્થર બની ગયેલ હોવાનું સામે આવ્યું હતું જેમાં કમિશનર દ્વારા સમિતિ બનાવીને કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હતી જો કે, હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવેલ નથી તેમજ પાલિક હતી ત્યારે કલમ 45 ડી, આવાસ યોજના અને નંદીઘર મામલે થયેલ કૌભાંડોની માહિતી માટે લેખિતમાં રજૂઆતો કરાઈ હતી તો પણ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવેલ નથી. જેથી ઉપરોકત કૌભાંડો અને હાલમાં સામે આવેલ હાજરી કૌભાંડમાં ભીનું સંકેલી ન લેવામાં આવે તેના માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.






Latest News