મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો ટંકારાના ડેમી-2 ડેમના 2 દરવાજા ચેકડેમો ભરવા માટે 1 ફૂટ ખોલ્યા ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ
Breaking news
Morbi Today

હવે મોરબી જીલ્લાના કલેક્ટર સ્વપ્નિલ ખરે, કમિશનર સંગીતા રૈયાણી અને ડીડીઓ વિદ્યાસાગર


SHARE











હવે મોરબી જીલ્લાના કલેક્ટર સ્વપ્નિલ ખરે, કમિશનર સંગીતા રૈયાણી અને ડીડીઓ વિદ્યાસાગર

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થતાની સાથે જ આઈએએસ અધિકારીઓની બદલીઓની ચર્ચાઓ ચાલી રહી હતી તેવામાં રાજ્ય સરકાર દ્વારા એકી સાથે રાજ્યમાં 72 આઇએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાં મોરબી કલેકટર, ડીડીઓ અને મહાપાલિકાના કમિશનરનો પણ સમાવેશ થાય છે અને મોરબીના કલેકટર તરીકે મોરબી મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેને મૂકવામાં આવ્યા છે

રાજ્યમાં નવરચિત મહાનગરપાલિકાઓના કમિશનરોની બદલી કરવામાં આવશે તેમજ કલેકટર અને ડીડીઓ સહિતના આઈએએસ અધિકારીઓની બદલી થશે તેવી ચર્ચા ચાલી રહી હતી તેવામાં આજે રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં કુલ મળીને 72 જેટલા આઈએએસ અધિકારીઓની એકી સાથે બદલી કરી છે જેમાં મોરબી જિલ્લાના કલેક્ટર કે.બી.ઝવેરી, મોરબી મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેનો પણ સમાવેશ થાય છે જોકે, મોરબી મહાપાલિકાના વર્તમાન કમિશનર સ્વપ્નિલ ખરેને હવે મોરબી જિલ્લા કલેકટર તરીકે મૂકવામાં આવ્યા છે અને મોરબી મહાપાલિકાના કમિશનર તરીકે સંગીતા રૈયાણીની નિમણૂક કરવામાં આવી છે જો કે, છેલ્લા ઘણા સમયથી મોરબી ડીડીઓની જગ્યા ચાર્જમાં હતી તે જગ્યા ઉપર ધંધૂકાના એડિશનલ કલેક્ટર વિદ્યાસાગરને મોરબીના ડીડીઓ તરીકે મૂકવામાં આવેલ છે.






Latest News