વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં જૈન પ્લોટ પૌષધ શાળા ખાતે શ્રી મુનિસુવ્રત સ્વામીના જાપ-આરાધનાનો કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીમાં જૈન પ્લોટ પૌષધ શાળા ખાતે શ્રી મુનિસુવ્રત સ્વામીના જાપ-આરાધનાનો કાર્યક્રમ યોજાયો

મોરબીમાં જૈન પ્લોટ પૌષધ શાળામાં શ્રી મુનિસુવ્રત સ્વામીના જાપ આરાધનાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામી તથા સાધુ સાધ્વીજીઓની નિશ્રામાં મણીબેન પ્રભાશંકર શેઠ જૈન પ્લોટ પૌષધ શાળા ખાતે પૂજ્ય વિવેકમુની મહારાજ સાહેબ દ્વારા સુંદર શૈલીમાં  કરાવવા માં આવેલ અરિષ્ઠ નિવારક શનિગ્રહની સાધનામાં શનિદેવ પરિપૂજિત શ્રી મુનિસુવ્રત સ્વામીની આરાધના કરવા માટે ભક્તિ-જાપમાં ૨૦૭ થી વધારે ભાઈઓ બહેનો બ્લેક કપડામાં આસન માળા સાથે જોડાયા હતા.  અને મોટી બીમારી, માનસિક પીડા, આર્થિક સમસ્યાઓ તેમજ વ્યાધિથી મુક્તિ મેળવવા ખુબજ ફળદાયક એવા શનિદેવના તથા મુનિસુવ્રત સ્વામીના મંત્ર જાપનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું ત્યારબાદ ગુરૂદેવ દ્વારા માંગલિક કહેવામાં આવેલ અને દરેકને રક્ષાપોટલી  પ્રભાવના રૂપે આપવામાં આવેલ હતી.






Latest News