માળીયા (મી)ના અંજીયાસર પાસેથી પાવર ગ્રીડ કંપનીના 13.50 લાખના વાયરની ચોરીન ગુનામાં બે આરોપી ઝડપાયા: 17.50 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખાખરાળા નજીક પગપાળા જતા બે વૃદ્ધોને કાર ચાલકે હડફેટ લેતા ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં કારખાને જવાનું કહીને નીકળેલ યુવાન ૧૦ દિવસથી ગુમ મોરબીના વઘાસીયા ટોલનાકા પાસે બાઈક ચાલકને અજાણ્યા કાર ચાલકે હડફેટ લેતા માથામાં ઇજા મોરબી : વાંકાનેરના દિધલીયા ગામે ભત્રીજા સાથે ઝઘડો કરતાં ઈસમને સમજાવવા જતાં છરી વડે હુમલો મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે મજૂરીના રૂપિયા બાબતે બોલાચાલી બાદ યુવાનની હત્યા કરી હોવાનું ખૂલ્યું


SHARE











હળવદના ચરાડવા ગામે મજૂરીના રૂપિયા બાબતે બોલાચાલી બાદ યુવાનની હત્યા કરી હોવાનું ખૂલ્યું

મોરબી જીલ્લામાં ચરાડવા પાસે આવેલ કેનાલમાથી હત્યા કરીને સગલવેલી હાલતમાં યુવાનની લાશ મળી હતી જેની ફરિયાદ લઈને પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતી અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરેલ છે અને મજૂરીની રૂપિયા બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યાર બાદ આરોપીએ કુહાડીના ઘા ઝીકિને યુવાનની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે

હળવદના ચરાડવા પાસે આવેલ નર્મદા કેનાલમાં યુવાનની હત્યા કરીને સળગાવેલી હાલતમાં લાશ મળી હતી અને મૃતક યુવાનને મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા પણ ઝીકીને તેની હત્યા કરવામાં આવી હતી અને બાદમાં લાશનો નિકાલ કરવા માટે તેની લાશને કેનાલમાં સળગાવવામાં આવી હતી અને આ બનાવમાં હળવદના પીએસઆઈ આર.બી. ટાપરિયાએ અજાણ્યો ઇશમ સામે કેશવાભાઈ ભાવસિંગભાઈ પસાયા જાતે આદિવાસી (ઉ.૩૬) રહે. હાલ ચરાડવા પેટ્રોલ પંપ પાછળ વાળાની હત્યા કરી હોવાનું ફરિયાદ નોંધવામાં આવી હતી અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી હતી અને હાલમાં હત્યાના આ ગુનામાં પોલીસે ઝીણભાઇ ઉર્ફે ઝીણો શંકરભાઇ ધાણકા રહે. કલબકેડિયા જિલ્લો છોટાઉદેપુર વાળની ધરપકડ કરેલ છે

મોરબીના ડીવાયએસપી અતુલકુમાર બંસલે પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતું કે, મરણજનાર કેશવાભાઈ ભાવસિંગભાઈ પસાયાને આરોપી ઝીણભાઇ ઉર્ફે ઝીણો શંકરભાઇ ધાણકા સાથે મજૂરી કામના રૂપિયા બાબતે ગત તા ૨૪/૧૨ના રોજ બોલાચાલી થયેલ હતી ત્યારે મૃતક કેશવાભાઈ ભાવસિંગભાઈ પસાયાએ આરોપીને લાકડી વડે માર માર્યો હતો અને સામે આરોપીએ તેને માથામાં કુહાડી મારી હતી અને કેશવાભાઈ નીચે પડી ગયા પછી તેને કુહાડીના વધુ ઘા માર્યા હતા અને તેની હત્યા કરી નાખી હતી અને ત્યાથી જતો રહયો હતો બાદમાં રાતે ફરી ત્યાં આવીને તેને કેશવાભાઈ ભાવસિંગભાઈ પસાયાની લાશનો નિકાલ કરવા માટે તેને સળગાવી હતી પરંતુ તે લાશ સળગી ન હતી હાલમાં પોલીસે આ ગુનામાં આરોપીની ધરપકડ કરેલ છે




Latest News