મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપવાની માંગ ઉઠી ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે


SHARE









મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે

 

સમગ્ર મોરબી પંથક માં આસ્થા શ્રદ્ધા ના પ્રતીક સમાન  એવા મોરબી ના નવલખી રોડ પર  રેલ્વે સ્ટેશન ની બાજુમા આવેલા શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા આયોજીત  નવમો સર્વ જ્ઞાતિ સમુહ લગ્ન નું આયોજન તા 27 / 4 / 2026 સોમવારે  બહુચર પાર્ટી પ્લોટ. રોકડીયા હનુમાન મંદિર બાજુમા નવલખી રોડ મોરબી ખાતે કરાયું છે.

આ સમુહ લગ્ન મા સર્વ જ્ઞાતિ ની 21 દિકરીઓ પ્રભુતા માં પગલા માંડશે.દિકરીઓ ને કરીયાવર માં શ્રી ધક્કાવાળી મંદિર અને  દાતા ઓના સહયોગથી  સોના -ચાંદીના દાગીના સહિત 100 થી વધુ ગૃહ ઉપયોગી ચીજ વસ્તુ ઓ ભેટ આપવામા આવશે આ સમુહ લગ્ન ની વિધી આચાર્ય. શાસ્ત્રી મુકેશભાઈ જોષી  કરાવશે સમુહ લગ્ન મા સંતો મહંતો ના આશીર્વચન સાંજે 7 વાગે  હસ્ત મેળાપ સાંજે  7 / 45  કલાકે તેમજ મહાપ્રસાદ સાંજે 7 વાગે આ સમુહ મા સંતો મહંતો, રાજકીય.સામાજીક.શહેર અગ્રણીઓ.વિવિધ સમાજ ને સંગઠનો. સંસ્થાઓ ના આગેવાનો. રેલવે અધિકારીઓ મહીલા સંગઠન ના આગેવાનો ઉપસ્થિત રહેશે. આ સમુહ લગ્ન ને સફળ આયોજન મા મંદિર ના ટ્રસ્ટી ઓ સેવાભાવી ભક્તો સેવાભાવી મહીલા સંસ્થાઓ સહયોગ આપી રહ્યા છે ઉલ્લેખનિય છે કે શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર એ આવતુ દાન મંદિર દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માં વપરાય છે જેમા દર વર્ષ એ સમુહ લગ્ન.નવરાત્રી મહોત્સવ.સાર્વજનિક દવાખાનુ ગાયો ને ઘાસ ચારો શહેર ની વિવિધ સરકારી સ્કૂલો માં વિધાર્થીઓને ચોપડા નોટબુક વિના મૂલ્યે વિતરણ સહીતની સેવાકીય પ્રવૃત્તિઓ કરી ભકતોએ આપેલ દાન યોગ્ય જગ્યા એ વપરાય છે.






Latest News