મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપવાની માંગ ઉઠી ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે
Breaking news
Morbi Today

27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે


SHARE









27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નેસડા (સુ.) ગામે કરોતરા પરિવાર દ્વારા કુળદેવી આઈ શ્રી શેખ માતાજી તથા આઈ શ્રી કામઈ માતાજીના નૂતન મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 27 એપ્રિલ 2026, સોમવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે.

આ ધાર્મિક પ્રસંગ સંવત 2082 વૈશાખ સુદ-11ના શુભ દિવસે વિવિધ વિધિ-વિધાન સાથે ઉજવાશે. કાર્યક્રમની શરૂઆત સવારે 7 કલાકે ગણપતિ પૂજનથી થશે, ત્યારબાદ સામૈયા, સ્થાપ્ય દેવ પૂજન, સ્થાપના વિધિ અને મૂર્તિ ન્યાસ જેવીવિધિ યોજાશે. સવારે 11:15 કલાકે માતાજીની સ્થાપના વિધિ પૂર્ણ થશે. બપોરે શાંતિ પૌષ્ટિક હોમ અને બીડુ હોમવાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે રાત્રે 10 કલાકે માતાજીની બેઠક યોજાશે. ઉપરાંત સંતો અને ભુવાનોના સામૈયા પણ કાર્યક્રમને ભવ્યતા આપશે.આ પ્રસંગે બપોરે 11 કલાકે મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવ્યું છે. કરોતરા પરિવાર દ્વારા નેસડા (સુ.), ઘુનડા, લીલાપર, થોરીયાણી, બાંગા, મેઘપર ઝાલા સહિતના ગામોના ભક્તોને ઉપસ્થિત રહી માતાજીના આશીર્વાદ લેવા અને પ્રસંગને ભવ્ય બનાવવા હાર્દિક આમંત્રણ પાઠવાયું છે.






Latest News