મોરબીમાં સાઈબર કેશના આરોપીઓનો જામીન પર છુટકારો
SHARE
મોરબીમાં સાઈબર કેશના આરોપીઓનો જામીન પર છુટકારો
મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપીઓએ તથા તેના લાગતા વળગતા ઈસમોએ એકબીજા સાથે મેળાપીપણ કરી પુર્વ આયોજીત કાવતરુ રચી અલગ અલગ એજન્ટો આરોપીઓને નીમી તેઓને આર્થિક લાભ આપવાની લાલચ આપી તેઓના બેંક એકાઉન્ટમાં સાયબર ફોડની રકમ જમા કરાવી તે રકમ ચેકથી વિથડ્રો કરી કેસ મેળવી સાયબર ફ્રોડના નાણા સગેવગે કરવા આ કામના આરોપીઓએ ગુનામાં એકબીજાને મદદગારી કરી ગુન્હો કર્યા હોવાની ફરીયાદના આધારે મોરબી સીટી એ ડીવી. પોલીસે બી.એન.એસ એકટની કલમ-૩૧૬(૫),૩૧૭(૨), ૩૧૮(૪),૬૧(૨),૫૪ મુજબનો ગુનો નોંધી આરોપીઓ રાહુલ બચુભાઈ મુંઝારીયા તથા રોહીત બચુભાઈ મુંઝારીયા નાઓની ધરપકડ કરેલ હતી.
જેમા આરોપીઓ રાહુલ બચુભાઈ મુંઝારીયા તથા રોહીત બચુભાઈ મુંઝારીયાએ મોરબીના સીનીયર એડવોકેટશ્રી દીલીપભાઈ અગેચાણીયા મારફત નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ. આરોપી તરફે એડવોકેટ મારફત ધારદાર કાયદાકીય દલીલ કરેલ અને નામદાર સુપ્રીમ કોર્ટ ના જજમેન્ટ રજુ રાખેલ. બન્ને પક્ષકારોની દલીલના અંતે નામ. કોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી અને નામદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટ ને ધ્યાને લઈ આરોપીઓને શરતી જામીન પર મુકત કરતો હુકમ કરેલ.આ કામમાં આરોપી તરફે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટશ્રી સાવન ડી. મોઘરીયા, મોરબી જીલ્લાના પ્રખ્યાત સીનીયર ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી. અગેચાણીયા, રવી ચાવડા, કનૈયાલાલ બાવરવા, હસમુખ ચાવડા, ક્રિષ્ના જારીયા, મહેશ્વરી મકવાણા, જયોતીકા કુરીયા રોકાયેલા હતા.