મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ


SHARE







મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ

મોરબી મહાનગરપાલિકાના ભાજપના ઉમેદવારો દ્વારા આજે જનસેવા સંકલ્પના કાર્યક્રમમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં જનસેવાનો સંકલ્પ કર્યો હતો અને ત્યાર બાદ તેઓના મત વિસ્તારમાં ભાજપના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. ત્યારે આ ચુંટણીમાં મોરબી મહાપાલિકાની તમામ બેઠક ઉપર ભાજપના ઉમેદવારો વિજયી બને તેના માટેનો વિચાર આગેવાનો દ્વારા ઉમેદવારો સાહતના ભાજપના હોદેદારો અને કાર્યકર્તા  સમક્ષ મૂકવામાં આવેલ હતો.

મોરબી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ પ્રથમ વખત મહાપાલીકાની ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોએ તમામ બેઠક ઉપર પોતાના ઉમેદવારી પત્રો ભરી દીધા છે ત્યારબાદ આજે મોરબીના રવાપર ગામ પાસે આવેલ કેપિટલ માર્કેટ ખાતે પૂર્વ મંત્રી આઈ.કે. જાડેજા, રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા સહિતના આગેવાનોની હાજરીમાં જનસેવા સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીમાં ભાજપ દ્વારા આજથી જન સેવાના સંકલ્પ સાથે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે ત્યારે પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાએ જણાવ્યું હતું કે મોરબી મહાપાલિકાની તમામ બેઠક ઉપર ભાજપના ઉમેદવારો વિજેયી બને તેના માટેની ચર્ચા અને વિચાર કાર્યક્રમ અંતર્ગત ઉમેદવારો સહિતનાઓની સમક્ષ મૂકવામાં આવ્યો હતો અને મોરબી મહાનગરપાલિકા વિસ્તાર આગામી સમયમાં સુંદર અને રળિયામણો બને તેમજ લોકોની સુખાકારીમાં વધારો થયા તેવા વિકાસના કામો કરવામાં આવે અને વિકાસના નવા આયામો સુધી મોરબી પહોંચે તે પ્રકારના વિચારો અહીં ઉમેદવારો સમક્ષ મુકવામાં આવ્યા હતા.

વધુમાં પૂર્વ મંત્રીએ જણાવ્યુ હતું કે, સમગ્ર ગુજરાતની અંદર 10,000 જેટલી બેઠકો ઉપર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 2 લાખ જેટલા આગેવાનોદાવેદારી નોંધાવી હતી જેમાંથી દરેક જ્ઞાતિ સમાજને પ્રાધાન્ય મળે તે રીતે ભાજપ દ્વારા ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા છે જો કે, કેટલાક આગેવાનોએ નારાજ થઈને મોરબી સહિત ગુજરાતમાં અપક્ષમાંથી ઉમેદવારી કરી છે જો કે, વર્ષો સુધી ભાજપ માટે કામ કરનારા કાર્યકર્તા નારાજ હોઈ શકે પરંતુ ભાજપથી વિમુખ ન હોય શકે માટે પ્રથમ તેઓને જિલ્લાની ટિમ દ્વારા સમજાવવા અને મનાવવા માટેના પ્રયાસો કરવામાં આવશે ત્યારબાદ જરૂર જણાશે તો પ્રદેશની શિસ્ત સમિતિ દ્વારા પગલાં પણ લેવામાં આવશે.






Latest News