મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું


SHARE







વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું

વાંકાનેરની શ્રીમતી એલ.કે. સંઘવી કન્યા વિદ્યાલય  વાંકાનેરની ધો. ૧૧ની વિદ્યાર્થીની ઝાલા ગાયત્રીબા વિરેન્‍દ્રસિંહ તેમજ નિર્મલા કોવેન્ટ સ્કૂલના વિદ્યાર્થીની યોગીનીબા મહાવીરસિંહ ઝાલા અને સરસ્વતી શિશુમંદિરના વિદ્યાર્થી વંશરાજસિંહ ઝાલાએ ઈન્ટર નેશનલ કોંફરન્સ ઓના મહાકાલ: ધ માસ્ટર ઓફ ટાઈમ માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી કોનસોલેશન ત્રીજો ક્રમ પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે. આ આંતરરાષ્ટ્રીય પરિષદ ભારત સરકારના ઇન્ડિયન નોલેજ સિસ્ટમ ડિવિઝન મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા ઉજ્જૈન ખાતે એસ્ટ્રોનોમિકલ ઇન્સ્ટ્રુમેન્ટ કોમ્પિટિશન તા. ૩ થી ૫ એપ્રિલ, ૨૦૨૬ દરમિયાન યોજાઈ હતી. જેમાં ગાયત્રીબા અને તેમની ટીમ દ્વારા સમયમાપન સંબંધિત વૈજ્ઞાનિક અભ્યાસ અંતર્ગત Equatorial Sundial, Shanku Yantra, Horizontal Sundial અને Polar Sundial ધનુર યંત્ર, માન યંત્ર જેવા યંત્રોનું નિર્માણ  તેમના ટીમ મેમ્બર યોગીનીબા ઝાલા વંશરાજસિંહ ઝાલાની સાથે રહીને મહાવીરસિંહ ઝાલા અને નિર્મલા કોવેન્ટ સ્કૂલના માર્ગદર્શન હેઠળ નિર્માણ કર્યું હતું તેમની વૈજ્ઞાનિક કાર્યપદ્ધતિ, સિદ્ધાંતો અને ઉપયોગિતાનું સુવ્યવસ્થિત પ્રસ્તુતીકરણ પણ મહાવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ થયું હતું. અને તેમની સંશોધનાત્મક દૃષ્ટિ, સર્જનાત્મકતા અને વિષયની ઊંડી સમજના આધારે તેમને ત્રીજો ક્રમ એનાયત કરવામાં આવ્યો હતો તેમજ સમગ્ર ટીમને રૂ. ૧૫,૦૦૦ જેટલી રકમનું પુરસ્કાર પણ  મળ્યું હતું આ ગૌરવ પૂર્ણ અવસરે શાળાના ટ્રસ્ટીઓ, પ્રધાન આચાર્ય દર્શનાબેન જાની વિદ્યાભારતી ટ્રસ્ટના પ્રમુખ અમરશીભાઈ મઢવી તથા શિક્ષકગણ દ્વારા ગાયત્રીબાની સિદ્ધિને ગૌરવપૂર્ણ ગણાવી તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા અને મહાવીરસિંહ ઝાલાની સમગ્ર ટીમને બીરદાવી છે. સાથે જ વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક તથા સંશોધનાત્મક પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગીદારી માટે પ્રોત્સાહિત કરવાની પણ નોંધ લીધી હતી.આ સિદ્ધિ શાળા માટે વાંકાનેર માટે અને ગુજરાત માટે ગૌરવનો વિષય બની રહી છે અને સમગ્ર શાળા પરિવારમાં આનંદ તથા ગૌરવની લાગણી વ્યાપી છે. આ અવસરે શાળા પરિવાર દ્વારા મહાવીરસિંહ ઝાલા અને એની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવેલ છે.






Latest News