મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં પ્રમુખ પદ માટે યોજાશે ચુંટણી


SHARE











મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં પ્રમુખ પદ માટે યોજાશે ચુંટણી

મોરબી શહેરના દલવાડી સર્કલ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં હાલ પ્રમુખ પદની જરૂરીયાત હોય જેથી ચુંટણીની જાહેરાત કરવામાં આવી છે.

ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ને ધરના ધરનું સ્વપ્ન સાકર કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના અમલીકરણ કરેલ છે. જે યોજના હેઠળ શહેરના દલવાડી સર્કલ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટી બનાવવામાં આવી હોય જેમાં કુલ ૬૮૦ આવાસો તૈયાર કરવામાં આવ્યા છે. ઉપરોક્ત સોસાયટી માં વિકાસના વિવિધ મુદાઓને ધ્યાને લઈ પ્રમુખ પદની જરૂરીયાત ઉભી થતાં ચુંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આગામી તા.૯-૧ ને રવિવારના રોજ સવારે ૭ થી સાંજે ૫ વાગ્યા સુધી મતદાન યોજાશે. ચુંટણીમાં પ્રમુખ પદ માટે જીતેન્દ્રભાઈ પ્રકાશભાઈ પીઠડીયા, મણીલાલ મોહનભાઈ વિઠલાણી, અને રાજુભાઈ વાસુદેવભાઈ ભંભાણી આમ કુલ ૩ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જોકે ૩૧ મી ડિસેમ્બર સુધી ફોર્મ પરત ખેચવાની છેલ્લી તારીખ હોય તા.૧-૧ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે અને પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં જે લાભાર્થીઓ આવાસ ધરાવતા હોય અને હજુ રહેવા આવેલ ન હોય તેવા તમામ લાભાર્થીઓ પોતાની આવાસની સનતની કોપી સાથે હાજર રહી ફરજીયાત મતદાન કરવા ઉમેદવારોએ અપીલ કરી છે.

એવન્યુપાર્ક મહિલા મંડળ દ્વારા ગૌસેવાના લાભાર્થે આયોજીત ભાગવત સપ્તાહમા આજે રાત્રે સુંદરકાંડના પાઠ યોજાશે

મોરબીના હાર્દસમા વિસ્તાર રવાપર રોડ સ્થિત એવન્યુ પાર્ક સોસાયટી મહિલા મંડળ દ્વારા ગૌસેવા ના લાભાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો ભવ્ય પોથીયાત્રા દ્વારા શુભારંભ થઈ ચુક્યો છે ત્યારે આજે તા.૨૮ મંગળવારના રોજ એવન્યુપાર્ક ગરબી ચોક ખાતે ભવ્ય તેમજ દીવ્ય સુંદરકાંડના પાઠનુ રાત્રે ૯ કલાકે આયોજન કરવામા આવ્યુ છે. જે અંતર્ગત પ્રસિધ્ધ રોકડીયા હનુમાનજી મંદિર-પુજારી શ્રી સુખરામ બાપુના સત્સંગ સેવા સુંદરકાંડ મંડળ દ્વારા સુંદરકાંડનુ સંગીતમય શૈલીમા રસપાન કરાવવામા આવશે.તો શહેરની દરેક ધર્મપ્રેમી જનતાને પધારવા આયોજકો દ્વારા ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામા આવ્યુ છે.






Latest News