મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં માતાનું અવસાન થતા તેમજ પિતાને બ્લડ કેન્સર હોય જીવનથી હતાશ થઈ ગળાફાંસો ખાતા આધેડનું મોત


SHARE







મોરબીમાં માતાનું અવસાન થતા તેમજ પિતાને બ્લડ કેન્સર હોય જીવનથી હતાશ થઈ ગળાફાંસો ખાતા આધેડનું મોત

મોરબીના દરબારગઢ વિસ્તારમાં રહેતા આધેડે ગત રાત્રિ દરમિયાન કોઈપણ સમયે ગળેફાંસો ખાઇ લેતાં તેમનું મોત નીપજ્યું હતુ. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જીવનથી હતાશ થઈ ગયા હોય આધેડે અંતિમ પગલું ભરી લીધું હતું અને તેઓનું મોત નિપજેલ છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના દરબારગઢ વિસ્તારમાં આવેલી જાનીશેરી વિસ્તારમાં રહેતા અરૂણભાઇ પ્રમોદરાય ભટ્ટ નામના ૫૯ વર્ષીય આધેડે તેમના ઘેર ગત રાત્રિ દરમિયાન કોઈપણ સમયે ગળેફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને તેઓનું મોત નીપજ્યું હતુ.બનાવની વહેલી સવારે જાણ થતાં તેમના મૃતદેહને સિવિલ હોસ્પિટલે પીએમ અર્થે ખસેડાયો હતો અને ત્યાંથી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે જાણ કરવામાં આવતા બીટ જમાદાર એમ.એમ.દેગામડીયાએ તપાસ હાથ ધરી હતી.જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે મૃતક અરૂણભાઇ ભટ્ટના માતાનું દિવસો પહેલાં અવસાન થયું છે જ્યારે તેમના પિતા છેલ્લા કેટલાક સમયથી બ્લડ કેન્સરથી પીડાઈ રહ્યા છે અને અરૂણભાઇ સહિત ત્રણ ભાઇઓ અને એક બહેન છે. જોકે ત્રણમાંથી એક પણ ભાઈના મોટી ઉમર થવા છતા લગ્ન થયા ન હોય અને મૃતક ઉપર જ ઘરની જવાબદારી હતી.મૃતક પોતે લાકી પ્લોટ વિસ્તારમાં ઘડિયાળના કારખાનામાં મજૂરી કામ કરતા હોય તમામ પ્રકારના વિપરીત સંજોગોને લીધે જીવનથી હતાશ થઈને અરૂણભાઇ પ્રમોદરાય ભટ્ટે ગળેફાંસો ખાઇને જીવનનો અંત આણ્યો હતો.

વૃદ્ધા સારવારમાં

મોરબીના શનાળા ગામ પાસે આવેલા લાયન્સનગર વિસ્તારમાં રહેતા ફરીદાબેન કાસમભાઈ પરમાર નામના ૬૦ વર્ષીય વૃદ્ધા ગતરાત્રીના બાઈકમાં પાછળના ભાગે બેસીને શનાળા પાસે છેલ્લા ઘણા સમયથી બની રહેલા ઓવર બ્રિજ નીચેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે રસ્તા ઉપરના ખાડાના લીધે તેઓ બાઈકના પાછળના ભાગેથી નીચે પડી જતા ઈજાગ્રસ્ત હાલતમાં તેઓને અહીં ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના હમીરભાઇ ગોહિલે તપાસ હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર પાવડીયારી નજીક આવેલ નિલેશ શોપિંગ સેન્ટર પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં પપ્પુભાઇ રઘુભાઈ વસુનિયા નામના ૨૩ વર્ષીય યુવાનને ઇજા થતાં તેને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતીએ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર ગામના રચનાબેન જયંતીભાઈ છત્રોલા નામની ૨૨ વર્ષીય મહિલા જુના બસ સ્ટેશન પાસેથી જતી હતી ત્યાં તેણીને વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતાં તેને સારવાર માટે સદભાવના હોસ્પિટલ લઈ જવાઇ હતી.






Latest News