એસએમસી ત્રાટકી: વાંકનેરના વઘાસિયા ટોલનાકા પાસેથી 28,912 બોટલો દારૂ ભરેલ ટ્રક સાથે એક પકડાયો, 80.86 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ઘુંટુ રોડ પાસેથી ૨૪૦ બોટલ દારૂ ભરેલી રીક્ષા પકડાઇ, આરોપીઓની શોધખોળ ચાલુ મોરબી નજીક કારખાનામાંથી કોપર-એલ્યુમિનિયમ વાયરની ચોરીના ગુનામાં વધુ 2 આરોપી ની ધરપકડ  મોરબીના જેતપર ગામે ખેડૂતોના હક્ક માટે આમરણાંત આંદોલનનો આજે બીજો દિવસ: તંત્રની ઘોર બેદરકારી ! મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વીરાંગના રાણી લક્ષ્મીબાઈની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો મોરબી : બુઢા અમરનાથ સાહસિક યાત્રાનું આયોજન, જોડાવા અપીલ મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં વરલી જુગારની 4 રેડ ટંકારાના લજાઈ ગામ પાસે વાડીની ઓરડીમાં ઇલેક્ટ્રીક શોટ લગતા ત્રણ વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા


SHARE











વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

રાજકોટ રૈયા ચોકડી વિસ્તારમાં રહેતા યુવાનને તેના મિત્રની સાથે ભાડા અને અન્ય ખર્ચની રકમ બાબતે વાંકાનેર બાઉન્ડ્રી પાસે ઝઘડો થયો હતો અને ત્યારે યુવાન પાસે રૂપિયાની માંગણી કરીને ગાળાના ભાગે છરી વડે ગંભીર ઇજા કરી હતી જેથી કરીને તેની હત્યા થઈ ગયેલ હતી અને આ બનાવ સંદર્ભે પોલીસે હત્યાનો ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં સરકારી વકીલની દલીલ અને રજૂ કરેલા આધાર પુરાવાઓને ધ્યાને રાખીને કોર્ટે આરોપીને આજીવન કેદની સજા અને દંડ ફટકાર્યો છે.

કેસની સરકારી વકીલ પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટ રૈયા ચોકડી પાસે રહેતો રાજકુમાર જીવલાલ પ્રજાપતિ અને આરોપી જીતેન્દ્રસિંહ ઉર્ફે જેકીભાઈ મંગલસિંહ રાજાવત રહે. મૂળ  એમપી વાળો બંને મિત્ર હતા અને સાથે જ રહેતા હતા અને કલરકામમાં મજુરી કરતા હતા બંને મિત્રો અવારનવાર સાથે ખરીદી કરવા માટે જતાં હતા જો કે, મૃતક રાજકુમાર પ્રજાપતિ ભાડાના કે પછી ખર્ચના રૂપિયા આપતો જ ન હતો જેથી આરોપીએ તેની પાસે વાંકાનેર બાઉન્ડ્રી નજીક બાવળની જાળીમાં રૂપિયાની માંગણી કરી હતી ત્યારે રૂપિયાની લેતીદેતી બાબતે આરોપી જીતેન્દ્રસિંહ સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો ત્યારે આરોપીએ છરી વડે રાજકુમારને ગળાના ભાગે ઈજા કરી હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું જે બાબતે વર્ષ 2023 ના માર્ચ માહિનામાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો અને પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. આ કેસ મોરબીના બીજા એડીશનલ સેશન્સ જજ એમ.આર.નાદપરા સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ દવે દ્વારા કરવામાં આવેલ દલીલ અને રજૂ કરવામાં આવેલ 16 મૌખિક અને 42 દસ્તાવેજી પુરાવાને ધ્યાને રાખીને કોર્ટે આરોપી જીતેન્દ્રસિંહ રાજાવતને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા અને 5000 નો દંડ કર્યો છે.






Latest News