મોરબીના કારખાનામાં ઊંચાઈ ઉપરથી પડતાં યુવાનના મોતના કેસમાં વધુ એકની ધરપકડ હળવદ નજીક ખોટી નંબર પ્લેટ લગાવેલ કારથી જીવલેણ અકસ્માત સર્જનાર આરોપીની બે અર્ટિકા કાર સાથે ધરપકડ મામાના ઘરે મૂકવા જવનું કહીને નરાધમ બાપ માસૂમ દીકરાને તરફડીને મરવા માટે છોડી ગયો: હળવદના સુસવાવ ગામની ઘટના ચોંકાવનારો ખુલાસો મોરબી ક્રાંતિકારી સેનાના નામ-લોગાનો દુરુપયોગ કર્યાની કરાઇ ફરિયાદ મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ હર્દય બંધ પડી ગયેલા દર્દીને નવજીવન આપ્યુ હળવદના સુસવાવ ગામ પાસે મરવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો હળવદ નજીક જીવલેણ અકસ્માત સર્જનાર અર્ટિકા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો ધડાકો વાંકાનેરના મહિકા પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં મહિલાઓના સર્વાંગી વિકાસ માટે 21મી માર્ચે વુમન્સ લીડરશીપ કોન્કલેવ


SHARE













મોરબીમાં મહિલાઓના સર્વાંગી વિકાસ માટે 21મી માર્ચે વુમન્સ લીડરશીપ કોન્કલેવ

હજુ પણ મહિલાઓને કેટલાક પૂર્વગ્રહો અને નારીનું ગરીમાં ન જળવાઈ એવી હીન માનસીકતાનો સામનો કરવો પડતો હોવાથી વધુને વધુ સ્ત્રી સશક્તિકરણની જરૂર હોવાથી મહિલા સશક્તિકરણ અને નેતૃત્વને પ્રોત્સાહન આપવા માટે મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલાઓને વૈચારિક મનોમંથન માટે પૂરતું મંચ પૂરું પાડવા નૂતન પહેલ કરી છે. જેમાં આગામી 21મી માર્ચે સ્કાય મોલ ખાતે સાંજે 'વુમન્સ લીડરશીપ કોન્કલેવ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં પ્રથમ વખત મહિલાઓના સર્વાંગી વિકાસ માટે આયોજિત થનાર વુમન્સ લીડરશીપ કોન્કલેવથી અંગે વિસ્તૃત માહિતી આપતા યંગ ઇન્ડિયા ગ્રુપના મહિલા અગ્રણી ધરતીબેન બરાસરાએ જણાવ્યું હતું કે, હાલમાં મોરબીમાં અનેક મહિલા સંગઠનો માત્ર મહિલાઓના વિકાસ માટે જ નહીં સમાજના સર્વાંગી વિકાસ માટે ભારે પ્રવૃત્તિશીલ છે અને મહિલાઓના ઉજ્જવળ ભવિષ્ય માટે અનન્યના કામગીરી કરી રહ્યા છે. પરંતુ તે ઘણીવાર અમુક સ્પર્ધાઓ કે મર્યાદિત પ્રવૃત્તિઓ સુધી સીમિત રહે છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય તમામ મહિલા સંસ્થાઓને એક જ મંચ અને નેજા હેઠળ લાવીને તેમના વિચારોનું આદાન-પ્રદાન કરવાનો છે. જેનાથી મોરબીના વિકાસ માટે મહિલાઓ વધુ સારા કાર્યો કરી શકે અને એકબીજાના વિચારો જાણી શકે.

આ અંગે રંજનબેને જણાવ્યું હતું કે, આ કોન્કલેવમાં વિવિધ ક્ષેત્રના તજજ્ઞો દ્વારા લીડરશીપ અને અન્ય વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવશે. મહિલાઓ પોતાના મુંઝવતા પ્રશ્નો પણ અહી રજૂ કરી શકશે અને તજજ્ઞો દ્વારા તેનું સ્થળ પર જ નિવારણ કરવામાં આવશે. તો વિશાખાબેને આ પ્લેટફોર્મના ફાયદાઓ વિશે જણાવતા કહ્યું કે, જ્યારે આટલી બધી મહિલાઓ એક સાથે મળશે ત્યારે વિચારોના આદાન-પ્રદાનથી તેમની અંદર રહેલી નેતૃત્વ ક્ષમતા (લીડરશીપ ક્વોલિટી) બહાર આવશે. ભવિષ્યની તકોને ઓળખીને તેઓ પોતાના જીવન, પરિવાર અને બાળકોને કઈ રીતે આગળ વધારી શકે તે માટેનું આ એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડવાનો આ પ્રયાસ છે. આ પોગ્રામની વધુ વિગત માટે ધરતીબેન (9825941704)નો સંર્પક કરવા જણાવ્યુ છે.






Latest News