મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબીની રવિરાજ ચોકડીના પુલ ઉપર આગળ જતા વાહનની પાછળ ક્રેટા ગાડી અથડાતા માથા અને શરીરે ઇજા થતાં યુવાનનું મોત


SHARE











મોરબીની રવિરાજ ચોકડીના પુલ ઉપર આગળ જતા વાહનની પાછળ ક્રેટા ગાડી અથડાતા માથા અને શરીરે ઇજા થતાં યુવાનનું મોત

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ લક્ષ્મીનગર ગામ પાસે રવિરાજ ચોકડીના પુલ ઉપરથી યુવાન પોતાની ક્રેટા ગાડી લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે આગળ જઈ રહેલા અજાણ્યા વાહનમાં પાછળના ભાગે ક્રેટા ગાડી અથડાઇ હતી જેથી અકસ્માત થયો હતો અને આ બનાવમાં યુવાનને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને યુવાનું મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ ધોરાજી તાલુકાના મોટી વાવડી ગામનો રહેવાસી અને હાલમાં મોરબી શહેરના સામાકાંઠે આવેલ શ્રીમદ રાજ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતો અને સીરામીક કારખાનામાં કામ કરતો પ્રિતકુમાર નંદલાલભાઈ ભલોડિયા (27) નામનો યુવાન ગત તા. 2/3 ના રોજ રાત્રે 11:00 વાગ્યાના અરસામાં પોતાના હવાલા વાળી ક્રેટા ગાડી નંબર જીજે 36 એ એલ 1710 લઈને લક્ષ્મીનગર ગામ પાસે આવેલ રવિરાજ ચોકડીના પુલ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આગળ જઈ રહેલા કોઈ અજાણ્યા વાહનમાં પાછળના ભાગે તેણે ક્રેટા ગાડી અથડાવી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવવામાં મૃતક યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માતના આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતા નંદલાલભાઈ વલ્લભભાઈ ભાલોડીયા (58) રહે. મોટી વાવડી તાલુકો ધોરાજી વાળાની ફરિયાદ લઈને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં મૃતક યુવાનના પિતા પાસેથી મળતી પ્રમાણે મૃતક યુવાન છેલ્લા પાંચેક વર્ષથી મોરબીમાં રહેતો હતો અને અહીં સિરામિક કારખાનામાં કામ કરતો હતો અને જે દિવસે અકસ્માત થયો હતો ત્યારે તે કારખાનેથી પરત પોતાના રૂમ તરફ જઈ રહ્યો હતો દરમિયાન અજાણ્યા કોઈ વાહનની પાછળના ભાગે તેની કાર અથડાઈ હતી જેથી અકસ્માત થયો હતો અને આ બનાવમાં યુવાનનું મોત નીપજયું છે.






Latest News