મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબીમાં લોહીની ઉલટી થયા બાદ યુવાનનું મોત


SHARE











મોરબીના જુના ઘુટુ રોડ ઉપર કારખાનાના લેબર ક્વાર્ટરમાં લોહીની ઉલટી થયા બાદ યુવાનનું મોત

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ કારખાનાના લેબર ક્વાર્ટરની અંદર રહેતા અને મજૂરી કામ કરતા યુવાનને તે પોતાના ક્વાર્ટરમાં હતો ત્યારે લોહીની ઉલટી થઈ હતી ત્યાર બાદ તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના રાજપરા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ અલ્ટ્રા સેનેટરી વેર નામના કારખાનાની લેબર કોલોનીમાં રહેતા ગેલાભાઈ પાલાભાઈ વાઘેલા (46) નામના યુવાનને છેલ્લા પાંચેક વર્ષથી ડાયાબિટીસની બીમારી હતી અને ગઈકાલે તે પોતાના લેબર ક્વાર્ટરની અંદર હતો ત્યારે તેને લોહીની ઉલટી થઈ હતી અને ત્યાર બાદ તે યુવાનનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના નાના ભાઈ માવજીભાઈ પાલાભાઈ વાઘેલા (26) રહે. હાલ જુના ઘૂટું રોડ અલ્ટ્રા સેનેટરી વેર કારખાનાની લેબર કોલોની મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

છરી મારતા સારવારમાં

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ આઈકોન કંપની ખાતે રહેતા અને મજૂરી કામ કરતા અનુરાગ કમલભાઈ વસુનીયા (22) નામના યુવાનને શ્રીનાથ વેબ્રિજ નજીક કોઈ અજાણ્યા શખ્સે છરી મારી હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનવાની પોલીસને જાણ કરી છે

મારા મારીમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા જીતુભાઈ મુકેશભાઈ ધુમલ (30) નામના યુવાનને કુલીનગરના ખૂણા પાસે મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ કરી છે.






Latest News