મોરબીના કારખાનામાં ઊંચાઈ ઉપરથી પડતાં યુવાનના મોતના કેસમાં વધુ એકની ધરપકડ હળવદ નજીક ખોટી નંબર પ્લેટ લગાવેલ કારથી જીવલેણ અકસ્માત સર્જનાર આરોપીની બે અર્ટિકા કાર સાથે ધરપકડ મામાના ઘરે મૂકવા જવનું કહીને નરાધમ બાપ માસૂમ દીકરાને તરફડીને મરવા માટે છોડી ગયો: હળવદના સુસવાવ ગામની ઘટના ચોંકાવનારો ખુલાસો મોરબી ક્રાંતિકારી સેનાના નામ-લોગાનો દુરુપયોગ કર્યાની કરાઇ ફરિયાદ મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ હર્દય બંધ પડી ગયેલા દર્દીને નવજીવન આપ્યુ હળવદના સુસવાવ ગામ પાસે મરવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો હળવદ નજીક જીવલેણ અકસ્માત સર્જનાર અર્ટિકા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો ધડાકો વાંકાનેરના મહિકા પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં લોહીની ઉલટી થયા બાદ યુવાનનું મોત


SHARE













મોરબીના જુના ઘુટુ રોડ ઉપર કારખાનાના લેબર ક્વાર્ટરમાં લોહીની ઉલટી થયા બાદ યુવાનનું મોત

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ કારખાનાના લેબર ક્વાર્ટરની અંદર રહેતા અને મજૂરી કામ કરતા યુવાનને તે પોતાના ક્વાર્ટરમાં હતો ત્યારે લોહીની ઉલટી થઈ હતી ત્યાર બાદ તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના રાજપરા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ અલ્ટ્રા સેનેટરી વેર નામના કારખાનાની લેબર કોલોનીમાં રહેતા ગેલાભાઈ પાલાભાઈ વાઘેલા (46) નામના યુવાનને છેલ્લા પાંચેક વર્ષથી ડાયાબિટીસની બીમારી હતી અને ગઈકાલે તે પોતાના લેબર ક્વાર્ટરની અંદર હતો ત્યારે તેને લોહીની ઉલટી થઈ હતી અને ત્યાર બાદ તે યુવાનનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના નાના ભાઈ માવજીભાઈ પાલાભાઈ વાઘેલા (26) રહે. હાલ જુના ઘૂટું રોડ અલ્ટ્રા સેનેટરી વેર કારખાનાની લેબર કોલોની મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

છરી મારતા સારવારમાં

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ આઈકોન કંપની ખાતે રહેતા અને મજૂરી કામ કરતા અનુરાગ કમલભાઈ વસુનીયા (22) નામના યુવાનને શ્રીનાથ વેબ્રિજ નજીક કોઈ અજાણ્યા શખ્સે છરી મારી હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનવાની પોલીસને જાણ કરી છે

મારા મારીમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા જીતુભાઈ મુકેશભાઈ ધુમલ (30) નામના યુવાનને કુલીનગરના ખૂણા પાસે મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ કરી છે.






Latest News