ટંકારાના હડમતિયામાં ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું, ૫૦૦૦ થી વધુ લોકોની ઉપસ્થિતિ મોરબીમાં લીલાપર રોડે આવેલ આવાસ યોજનામાં ૩૩૬ લાભાર્થીઓના આવાસ રદ્દ, નવેસરથી ડ્રો કરાશે: અધિકારી મોરબીના મણી મંદિર પાસે અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીમાં મણીમંદિર-ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઈટિંગના કામનો કોન્ટ્રાક્ટ આપાયો મોરબીના સૂરજબાગના નવીનીકરણનું કામ ૩૦ ટકા પૂરું સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મ દિવસે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, શુભેચ્છકો દ્વારા કચ્છભરમાં સેવા કાર્યોનું આયોજન મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી તરીકે ચિરાગભાઈ રાચ્છની વરણી મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૮ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

હળવદ નજીક કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઊંચી માંડલ ગામ પાસે કેનાલમાં ડૂબી ગયેલ યુવાનનો હજુ કોઈ પત્તો નહીં


SHARE













હળવદ નજીક કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઊંચી માંડલ ગામ પાસે કેનાલમાં ડૂબી ગયેલ યુવાનનો હજુ કોઈ પત્તો નહીં

હળવદ માંથી પસાર થતી નર્મદાની કેનાલમાં ડૂબી જવાના કારણે 40 વર્ષના યુવાનનું મોત નિપજ્યું છે જ્યારે મોરબીના ઊંચી માંડલ ગામ પાસે કેનાલમાં ડૂબી ગયેલા યુવાનને શોધવા છતાં મોડી સાંજ સુધી તેનો કોઈ પતો લાગેલ નથી જેથી ફાયરની ટીમ દ્વારા આજે સવારથી ફરી કેનાલમાં યુવાનની શોધખોળ હાથ ધરશે.

હળવદ શહેરમાં વનવગડો હોટલની પાછળથી પસાર થતી નર્મદાની કેનાલમાં હળવદના કણબીપરા ખાતે રહેતા જયસુખભાઈ દિલાભાઈ પટેલ (40) નામનો યુવાન ન્હાવા માટે ગયો હતો ત્યારે કોઈ કારણોસર કેનાલમાં ડૂબી ગયો હતો આજેથી કરીને આ બનાવની મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કેનાલમાં ડૂબી ગયેલા યુવાને શોધવા માટેની શોધખોળ હાથ ધરી હતી દરમિયાન તેના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢીને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આવી જ રીતે મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં રાજસ્થાની યુવાન કોઈ કારણોસર ડૂબી ગયો હતો જેથી આ બનાવની ફાયર વિભાગની ટીમને જાણ કરતા ફાયરની ટીમ ત્યાં ઘટના સ્થળે પહોંચી હતી અને કેનાલમાં ડૂબી ગયેલ યુવાનને શોધવા માટેની શોધખોળ હાથ ધરી હતી જોકે કેનાલમાં ડૂબી ગયેલ વ્યક્તિનો મોડી સાંજ સુધી કોઈ પતો લાગ્યો ન હતો જેથી આજે સવારથી ફાયરની ટીમ દ્વારા ફરીથી શોધખોળની કામગીરી હાથ ધરવામાં આવશે તેવી માહિતી ફાયર વિભાગના અધિકારી જયેશ ડાકી પાસેથી જાણવા મળેલ છે.








Latest News