ટંકારાના હડમતિયામાં ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું, ૫૦૦૦ થી વધુ લોકોની ઉપસ્થિતિ મોરબીમાં લીલાપર રોડે આવેલ આવાસ યોજનામાં ૩૩૬ લાભાર્થીઓના આવાસ રદ્દ, નવેસરથી ડ્રો કરાશે: અધિકારી મોરબીના મણી મંદિર પાસે અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીમાં મણીમંદિર-ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઈટિંગના કામનો કોન્ટ્રાક્ટ આપાયો મોરબીના સૂરજબાગના નવીનીકરણનું કામ ૩૦ ટકા પૂરું સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મ દિવસે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, શુભેચ્છકો દ્વારા કચ્છભરમાં સેવા કાર્યોનું આયોજન મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી તરીકે ચિરાગભાઈ રાચ્છની વરણી મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૮ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રોપેન ગેસ આધારિત સિરામિક કારખાના હવે વધુમાં વધુ 24 થી 48 કલાકમાં બંધ થઈ જશે: પ્રમુખ હરેશભાઈ બોપલિયા


SHARE













મોરબીમાં પ્રોપેન ગેસ આધારિત સિરામિક કારખાના હવે વધુમાં વધુ 24 થી 48 કલાકમાં બંધ થઈ જશે: પ્રમુખ હરેશભાઈ બોપલિયા

મોરબીના સીરામીક કારખાનામાં વપરાતો પ્રોપેન ગેસ આજથી મળવાનો બંધ થઈ ગયેલ છે જેથી કરીને સીરામીક કારખાનેદારો પાસે તેઓના કારખાનાની અંદર જે પ્રોપેન ગેસ નો સ્ટોક છે તેના આધારે અત્યારે ઉત્પાદન ચાલુ છે પરંતુ મોરબીનો સિરામિક ઉદ્યોગ આગામી 24 થી 48 કલાકમાં બંધ થઈ જશે. તેવું સીરામીક એસોસિયેશનના પ્રમુખ પાસેથી જાણવા મળેલ છે.

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે જે યુદ્ધ શરૂ થયું છે તેના કારણે મોરબીના સિરામિક ઉદ્યોગને સૌથી મોટી અસર થઈ રહી છે અને તેના જ ભાગરૂપે મોરબીના જુદા જુદા સીરામીક કારખાનાઓમાં પ્રોપેન ગેસનો ઉપયોગ કરીને સીરામીક પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવતું હતું તે પ્રોપેન ગેસના ઓર્ડર લેવાનું બે દિવસથી સપ્લાય કરતી એજન્સી દ્વારા બંધ કરવામાં આવ્યું છે અને આજથી કંડલા પોર્ટ ઉપરથી પ્રોપેન ગેસના ટેન્કર ભરવાનું બંધ થઈ ગયું છે જેથી કારખાનેદારોના કારખાનાની અંદર અંજદે 24 થી 48 કલાક ચાલે તેટલો જે પ્રોપેન ગેસનો જથ્થો છે તેનો ઉપયોગ કરીને સીરામીક પ્રોડક્ટનું ઉત્પાદન થઈ શકશે ત્યારબાદ મોરબીના મોટાભાગના કારખાનાઓને પ્રોપેન ગેસ ન મળવાના કારણે ફરજિયાતના ધોરણે બંધ કરવા પડશે. તેવી માહિતી મોરબી સિરામિક એસો.ના પ્રમુખ હરેશભાઈ બોપલિયા પાસેથી જાણવા મળેલ છે.

વધુમાં સિરામિક કારખાનેદારોના કહેવા મુજબ સીરામીકના કારખાના બંધ થશે તો લાખો લોકોની રોજગારી સામે પ્રશ્નાર્થ ઉભા થશે આટલું જ નહીં પરંતુ સીરામીક કારખાનેદારોને પણ મોટા આર્થિક સંકટનો સામનો કરવો પડશે. આ ઉપરાંત મોરબીના સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા અન્ય નાના-મોટા ઉદ્યોગને પણના છૂટકે પોતાનું ઉત્પાદન અને યુનિટ બંધ કરવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. અને આ પરિસ્થિતિ લાંબો સમય સુધી ચાલશે તો મોરબીની આર્થિક રીતે કમર તુટી જશે.








Latest News