મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રોપેન ગેસ આધારિત સિરામિક કારખાના હવે વધુમાં વધુ 24 થી 48 કલાકમાં બંધ થઈ જશે: પ્રમુખ હરેશભાઈ બોપલિયા


SHARE











મોરબીમાં પ્રોપેન ગેસ આધારિત સિરામિક કારખાના હવે વધુમાં વધુ 24 થી 48 કલાકમાં બંધ થઈ જશે: પ્રમુખ હરેશભાઈ બોપલિયા

મોરબીના સીરામીક કારખાનામાં વપરાતો પ્રોપેન ગેસ આજથી મળવાનો બંધ થઈ ગયેલ છે જેથી કરીને સીરામીક કારખાનેદારો પાસે તેઓના કારખાનાની અંદર જે પ્રોપેન ગેસ નો સ્ટોક છે તેના આધારે અત્યારે ઉત્પાદન ચાલુ છે પરંતુ મોરબીનો સિરામિક ઉદ્યોગ આગામી 24 થી 48 કલાકમાં બંધ થઈ જશે. તેવું સીરામીક એસોસિયેશનના પ્રમુખ પાસેથી જાણવા મળેલ છે.

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે જે યુદ્ધ શરૂ થયું છે તેના કારણે મોરબીના સિરામિક ઉદ્યોગને સૌથી મોટી અસર થઈ રહી છે અને તેના જ ભાગરૂપે મોરબીના જુદા જુદા સીરામીક કારખાનાઓમાં પ્રોપેન ગેસનો ઉપયોગ કરીને સીરામીક પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવતું હતું તે પ્રોપેન ગેસના ઓર્ડર લેવાનું બે દિવસથી સપ્લાય કરતી એજન્સી દ્વારા બંધ કરવામાં આવ્યું છે અને આજથી કંડલા પોર્ટ ઉપરથી પ્રોપેન ગેસના ટેન્કર ભરવાનું બંધ થઈ ગયું છે જેથી કારખાનેદારોના કારખાનાની અંદર અંજદે 24 થી 48 કલાક ચાલે તેટલો જે પ્રોપેન ગેસનો જથ્થો છે તેનો ઉપયોગ કરીને સીરામીક પ્રોડક્ટનું ઉત્પાદન થઈ શકશે ત્યારબાદ મોરબીના મોટાભાગના કારખાનાઓને પ્રોપેન ગેસ ન મળવાના કારણે ફરજિયાતના ધોરણે બંધ કરવા પડશે. તેવી માહિતી મોરબી સિરામિક એસો.ના પ્રમુખ હરેશભાઈ બોપલિયા પાસેથી જાણવા મળેલ છે.

વધુમાં સિરામિક કારખાનેદારોના કહેવા મુજબ સીરામીકના કારખાના બંધ થશે તો લાખો લોકોની રોજગારી સામે પ્રશ્નાર્થ ઉભા થશે આટલું જ નહીં પરંતુ સીરામીક કારખાનેદારોને પણ મોટા આર્થિક સંકટનો સામનો કરવો પડશે. આ ઉપરાંત મોરબીના સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા અન્ય નાના-મોટા ઉદ્યોગને પણના છૂટકે પોતાનું ઉત્પાદન અને યુનિટ બંધ કરવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. અને આ પરિસ્થિતિ લાંબો સમય સુધી ચાલશે તો મોરબીની આર્થિક રીતે કમર તુટી જશે.






Latest News