મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખેડૂતોની માંગ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી મોરબીના બંધુનગર નજીક ચક્કર આવતા નાલામાં પડી ગયેલ યુવાનનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે ટ્રક ટ્રેલરની સાથે ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં પગ કપાઈ જવાથી યુવાનનું મોત અપમૃત્યુના 3 બનાવ: ટિંબડી નજીક યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત, શોભેશ્વર રોડે શોર્ટ લગતા યુવાનનું મોત, ટંકારાને મિતાણા નજીક કૂવામાં પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર રોડે બાઈકની આડે ખુટિયો આવતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત


SHARE











મોરબીના પંચાસર રોડે બાઈકની આડે ખુટિયો આવતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત

મોરબીના પંચાસર રોડ પર આવેલ મામાદેવના મંદિર પાસેથી યુવાન બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકની આડે ખુટિયો આવતા બાઈક સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, સારવાર કારગત નિવડતાં તે યુવાનનું મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં પોલીસે ફરિયાદ લઈને મૃતક યુવાન સામે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી તાલુકાના ધુળકોટ ગામે રહેતો યુવરાજ હસમુખભાઈ ઝાલા (22) નામનો યુવાનો ગત તા. 16/2 ના રાત્રિના 10:30 વાગ્યાના અરસામાં મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ મામાદેવના મંદિર પાસેથી પોતાનું બાઈક નંબર જીજે 36 એજી 3518 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક તેના બાઈકની આડે ખુટિયો આવતા બાઈક સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવરાજને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી પોલીસે તાલુકા પોલીસે આ બનાવ  સંદર્ભે હાલમાં ધુળકોટ ગામે રહેતા ગુલાબભાઈ અરજણભાઈ પરમાર (47)ની ફરિયાદ લઈને મૃતક યુવાન સામે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News