મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબી જેટકોમાંથી નિવૃત થતાં પંકજભાઈ ઠાકરનો સન્માન સમારોહ યોજાયો


SHARE







મોરબી જેટકોમાંથી નિવૃત થતાં પંકજભાઈ ઠાકરનો સન્માન સમારોહ યોજાયો

મોરબી જેટકો(GEB)પ્રવહન વિભાગીય કચેરીના કર્મચારી પંકજભાઈ બી ઠાકર (પ્યુન) લાંબી સર્વિસ બાદ નિવૃત્ત થતા હોય તેમનો નિવૃત્ત સન્માન સમારોહ જેટકો ૨૨૦ કેવી કોલોની મોરબી કમ્પાઉન્ડમાં કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને એ.કે.પટેલ (કાર્યપાલક ઇજનેર) હાજર રહ્યા હતા તે ઉપરાંત અન્ય અધિકારી અને કર્મચારીઓ પણ ત્યાં હાજર રહ્યા હતા. તેમજ સમસ્ત બ્રહ્મ સમાજ સૌરાષ્ટ્રને કચ્છના પ્રમુખ ડો. અનિલભાઈ પી.મહેતા તેમજ ભુપતભાઈ પંડ્યા અને પંકજભાઈના પિતા બળવંતરાય ઠાકર (ગુરુદેવ) સહિતના હાજર રહ્યા હતા. ખાસ કરીને પંકજભાઈ બી.ઠાકરે ૩૫ વર્ષ અને ૧૯  દીવસ લાંબી સર્વિસ કરી હતી તે કામગીરીને સહુ કોઈએ બિરદાવી હતી. આ તકે એજીવીકેએસ યુનિયન દ્વારા શ્રમ એવ જયતે નો શિલ્ડ આપી ઠાકરભાઈનું સન્માન કરાયું હતુ અને જેટકો કંપની તરફથી ચાંદીનો સિક્કો અર્પણ કરવામાં આવેલ હતો તેવી માહિતી એજીવીકેએસ યુનિયનના વાઇસ પ્રેસિડેન્ટ કે.આઈ.ગોસાઈ પાસેથી મળી છે






Latest News