ટંકારાના મેઘપર ઝાલા ગામે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલા ધાર્મિક કાર્યક્રમમાં હાજર રહ્યા
મોરબી જેટકોમાંથી નિવૃત થતાં પંકજભાઈ ઠાકરનો સન્માન સમારોહ યોજાયો
SHARE
મોરબી જેટકોમાંથી નિવૃત થતાં પંકજભાઈ ઠાકરનો સન્માન સમારોહ યોજાયો
મોરબી જેટકો(GEB)પ્રવહન વિભાગીય કચેરીના કર્મચારી પંકજભાઈ બી ઠાકર (પ્યુન) લાંબી સર્વિસ બાદ નિવૃત્ત થતા હોય તેમનો નિવૃત્ત સન્માન સમારોહ જેટકો ૨૨૦ કેવી કોલોની મોરબી કમ્પાઉન્ડમાં કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને એ.કે.પટેલ (કાર્યપાલક ઇજનેર) હાજર રહ્યા હતા તે ઉપરાંત અન્ય અધિકારી અને કર્મચારીઓ પણ ત્યાં હાજર રહ્યા હતા. તેમજ સમસ્ત બ્રહ્મ સમાજ સૌરાષ્ટ્રને કચ્છના પ્રમુખ ડો. અનિલભાઈ પી.મહેતા તેમજ ભુપતભાઈ પંડ્યા અને પંકજભાઈના પિતા બળવંતરાય ઠાકર (ગુરુદેવ) સહિતના હાજર રહ્યા હતા. ખાસ કરીને પંકજભાઈ બી.ઠાકરે ૩૫ વર્ષ અને ૧૯ દીવસ લાંબી સર્વિસ કરી હતી તે કામગીરીને સહુ કોઈએ બિરદાવી હતી. આ તકે એજીવીકેએસ યુનિયન દ્વારા શ્રમ એવ જયતે નો શિલ્ડ આપી ઠાકરભાઈનું સન્માન કરાયું હતુ અને જેટકો કંપની તરફથી ચાંદીનો સિક્કો અર્પણ કરવામાં આવેલ હતો તેવી માહિતી એજીવીકેએસ યુનિયનના વાઇસ પ્રેસિડેન્ટ કે.આઈ.ગોસાઈ પાસેથી મળી છે