મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબી જેટકોમાંથી નિવૃત થતાં પંકજભાઈ ઠાકરનો સન્માન સમારોહ યોજાયો


SHARE











મોરબી જેટકોમાંથી નિવૃત થતાં પંકજભાઈ ઠાકરનો સન્માન સમારોહ યોજાયો

મોરબી જેટકો(GEB)પ્રવહન વિભાગીય કચેરીના કર્મચારી પંકજભાઈ બી ઠાકર (પ્યુન) લાંબી સર્વિસ બાદ નિવૃત્ત થતા હોય તેમનો નિવૃત્ત સન્માન સમારોહ જેટકો ૨૨૦ કેવી કોલોની મોરબી કમ્પાઉન્ડમાં કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને એ.કે.પટેલ (કાર્યપાલક ઇજનેર) હાજર રહ્યા હતા તે ઉપરાંત અન્ય અધિકારી અને કર્મચારીઓ પણ ત્યાં હાજર રહ્યા હતા. તેમજ સમસ્ત બ્રહ્મ સમાજ સૌરાષ્ટ્રને કચ્છના પ્રમુખ ડો. અનિલભાઈ પી.મહેતા તેમજ ભુપતભાઈ પંડ્યા અને પંકજભાઈના પિતા બળવંતરાય ઠાકર (ગુરુદેવ) સહિતના હાજર રહ્યા હતા. ખાસ કરીને પંકજભાઈ બી.ઠાકરે ૩૫ વર્ષ અને ૧૯  દીવસ લાંબી સર્વિસ કરી હતી તે કામગીરીને સહુ કોઈએ બિરદાવી હતી. આ તકે એજીવીકેએસ યુનિયન દ્વારા શ્રમ એવ જયતે નો શિલ્ડ આપી ઠાકરભાઈનું સન્માન કરાયું હતુ અને જેટકો કંપની તરફથી ચાંદીનો સિક્કો અર્પણ કરવામાં આવેલ હતો તેવી માહિતી એજીવીકેએસ યુનિયનના વાઇસ પ્રેસિડેન્ટ કે.આઈ.ગોસાઈ પાસેથી મળી છે






Latest News