હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પરિણીતાના આપઘાતના બનાવમાં પતિ, સાસુ અને સસરા સામે ગુનો નોંધાયો: વાંકાનેરના માટેલ રોડે દુકાન પાસેથી બાઈકની ચોરી


SHARE













વાંકાનેરમાં પરિણીતાના આપઘાતના બનાવમાં પતિ, સાસુ અને સસરા સામે ગુનો નોંધાયો: વાંકાનેરના માટેલ રોડે દુકાન પાસેથી બાઈકની ચોરી

વાંકાનેરના ભરવાડપરા શેરી નં-7 માં રહેતી મહિલાએ એસિડ પીને આપઘાત કર્યો હતો જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાના ભાઈએ બહેનને મારવા માટે મજબૂર કરી હોવાની તેના જમાઈ સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેર તાલુકાના જડેશ્વર કોઠારીયા ખાતે રહેતા મુન્નાભાઈ રાણાભાઇ સાટકા (30)એ હાલમાં તેના જમાઈ અવધભાઈ ભુપતભાઈ સરૈયા, વેવાઈ ભુપતભાઈ ગાંડુભાઈ રૈયા અને વેવાણ હર્ષાબેન ભુપતભાઈ સરૈયા રહે. બધા ભરવાડપરા વાકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ગત તા. 23 ના રાત્રીના દસેક વાગ્યાના અરસામાં તેઓના બહેન રૂપલબેન (28)એ ભરવાડ પરામાં તેઓના ઘરની અંદર એસિડ પી લીધું હતું જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું અને ફરિયાદીના બહેનને આરોપીઓ દ્વારા કરિયાવર બાબતે મેણાં ટોણાં મારવામાં આવતા હતા અને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જેથી ફરિયાદીના બહેને એસિડ પી લીધું હતું અને સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે હાલમાં મૃતક મહિલાના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બાઇક ચોરી

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વૈભવ લક્ષ્મી-2 મહાબલી હનુમાનજીના મંદિરની પાછળના ભાગમાં રહેતા પંકજભાઈ વશરામભાઈ ગાંભવા (38)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ આપી છે જેમાં જણાવ્યું છે કે વાંકાનેર તાલુકાના માટેલ રોડ અમરધામ પાસે પ્રયાગ કોમ્પલેક્ષમાં દુકાનની સામેના ભાગમાં તેઓએ પોતાનું બાઈક નંબર જીજે 36 સી 5510 પાર્ક કરીને મૂક્યું હતું જે 25,000 રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News