મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં અનેક ગુનામાં સંડોવાયેલ બી.કે.બોરીચાનું સરઘસ કાઢતી પોલીસ, ઘરમાંથી મળી આવેલા ડોક્યુમેન્ટ બાબતે ઊંડાણપૂર્વની તપાસ ચાલુ: DYSP


SHARE











મોરબી શહેરમાં વ્યાજખોરી, દારૂ, જમીન પચાવી પાડવી વિગેરે જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલા બી.કે.બોરીચાનું આજે ડીવાયએસપીની હાજરીમાં મોરબીના સનાળા રોડ ઉપર સરઘસ કાઢવામાં આવ્યું હતું અને આ શખ્સના ઘરેથી મળી આવેલા ડોક્યુમેન્ટ બાબતે હાલમાં પોલીસ વિભાગ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે અને જે કોઈ વ્યક્તિ બી.કે.બોરીચાનો ભોગ બનેલ હોય તેના દ્વારા મોરબીમાં ફરિયાદ નોંધાવવામાં પોલીસ તેઓની સાથે જ છે તેવી ડીવાયએસપી દ્વારા ખાતરી આપવામાં આવી છે.

મોરબીના જેલ રોડ ઉપર આવેલ બોરીચાવાસ વિસ્તારમાં રહેતા બી.કે. બોરીચા નામના શખ્સના ઘરની અંદરથી બે દિવસ પહેલા પોલીસે ચેક કર્યું હતું ત્યારે ઘરમાંથી બિયરના 22 ટીન મળી આવ્યા હતા જે બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સની સામે ગુનો નોંધાયો હતો અને હાલમાં બી.કે. બોરીચાને રિમાન્ડ ઉપર લઈને પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે તેના ઘરમાંથી કેટલાક ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા હતા જે બાબતે હાલમાં ઊંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે તેવામાં રવિવારે બપોરે દોઢેક વાગ્યાના અરસામાં મોરબીના સનાળા રોડ ઉપર બી.કે.બોરીચાનું સરઘસ કાઢવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આ તકે મોરબીના ડીવાયએસપી જે.એમ.આલ દ્વારા પત્રકારોને માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે બી.કે. બોરીચા સામે વ્યાજખોરી, દારૂ, જમીન પચાવી પાડવી વિગેરે જેવા ગુના અગાઉ નોંધાયેલ છે. જેથી તેની સાથે આ ગુનાઓમાં અન્ય કોણ કોણ સંડોવાયેલ છે તે દિશામાં તપાસ ચાલી રહી છે આ ઉપરાંત તેના ઘરમાંથી કેટલાક ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા છે જેના આધારે હાલમાં ઊંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે અને જે લોકો બી.કે.બોરીચાનો ભોગ બનેલા હોય તેઓએ ફરિયાદ નોંધાવવી જોઈએ. મોરબીની પોલીસ ભોગ બનેલા લોકોની સાથે જ છે તેવી ખાતરી પણ ડીવાયએસપી દ્વારા આપવામાં આવેલ છે.




Latest News