હળવદ કૃષિ વિદ્યાલય રોડ ઉપર છેડતીની વાતના જુના ડખ્ખામાં પ્રૌઢની હત્યા મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી ઇરાન-ઇઝરાયલ વચ્ચે ચાલતા યુધ્ધના પગલે મોરબીના ઘડીયાળ ઉધોગમાં નવા ભાવના એડવાન્સ બુકિંગ આધારિત જ પ્રોડક્શનનો ક્લોક એન્ડ પાર્ટ્સ એસો.ની મીટિંગમા લેવાયો નિર્ણય મોરબીમાં બુટ ચપ્પલની લારી રાખીને વેપાર કરતા વૃદ્ધે વ્યાજે લીધેલા રૂપિયા સામે લાખો રૂપિયા ચૂકવી દીધા છતાં પણ પઠાણી ઉઘરાણી ચાલુ !: બાપ-દીકરાને મારી નાખવાની ધમકી હળવદમાં પરિણીત સ્ત્રી સાથે મિત્રતા રાખનાર યુવાનને સમજાવવા જતા બંને પક્ષેથી મારામારી: હવે સામસામે ફરિયાદ વાંકાનેરમાં રહેતી પરણીતા પોતાના બહેનના ઘરે ગયેલ હોય પતિ અને સાસુ-સસરાએ માર માર્યો વાંકાનેર નજીક સિરામિક કારખાનાની લેબર કોલોનીના ધાબા ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલ યુવાનનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના પાર્કિગમાં મિટીંગ દરમ્યાન મારામારી, ઇજાગ્રસ્ત મહીલા સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ટંકારા શિશુ મંદિર દ્વારા મેડિકલ કેમ્પ યોજાશે


SHARE











મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ટંકારા શિશુ મંદિર દ્વારા મેડિકલ કેમ્પ યોજાશે

સેવા એજ ધર્મ ન સૂત્રને જીવનું સૂત્ર માનનાર પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને શ્રી સરસ્વતી શિશુ મંદિર ટંકારા દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે કેમ્પમાં લાભ લેવા દર્દીઓએ રજિસ્ટ્રેશન કરાવી લેવા આયોજકોએ જણાવ્યુ છે.

પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે જેમાં મેડિકલ કેમ્પ, કેન્સર સ્ક્રીનીંગ કેમ્પ, વૃધ્ધાશ્રમ - બાલાશ્રમ સહિતના સ્થળો પર કપડા, નાસ્તો વિતરણ સહિતની સેવા આપી રહ્યા છે ત્યારે  આગામી તા. 1 માર્ચના રોજ ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં આવેલ શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર  ખાતે  મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.તેમજ આ કેમ્પમાં આવનાર દર્દીઓને દવા નિઃશુલ્ક આપવામાં આવશે જે દવાનો તમામ ખર્ચ વર્ષાબેન ભીમાણી દ્વારા આપવામાં આવશે અને આ કેમ્પમાં હેલ્થકેર લેબોરેટરીના રાહુલ શિયાલ દ્વારા હિમોગ્લોબિન, બ્લડ ગ્રુપ અને સુગરના રિપોર્ટ નિશુલ્ક કરી આપવા આવશે. આ મેડિકલ કેમ્પમાં મોરબી અને રાજકોટની વિવિધ નામાંકિત હોસ્પિટલના  નિષ્ણાંત ડોકટરો સેવા પોતાની ટીમે સાથે સેવા આપશે. આ કેમ્પમાં લાભ લેવા માટે લાભાર્થી દર્દીઓએ બેચરભાઈ ગોધાણી (7878318184), હર્ષદભાઈ દવે (9016255345), જયેશભાઈ વીરસોડિયા (8866750690), મહેશભાઈ વિરમગામા (9879874033) અને દીપકભાઈ ખત્રી (9979000334)ના મોબાઈલ નંબર ઉપર રજીસ્ટ્રેશન કરાવવા આયોજકોએ જણાવ્યુ છે અને રજિસ્ટ્રેશન ન થઈ શકેલ હોય તેવા દર્દીઓનું પણ નિદાન કરવામાં આવશે. 




Latest News