મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ મોરબીના વાવડી રોડ રહેતી મહિલા ઉપર પ્રેમસંબંધની શંકા રાખીને ઘરમાં ઘૂસીને માર માર્યો, ધમકીઓથી કંટાળીને મહિલાની માતાએ કર્યો આપઘાત: 5 મહિલા સહિત 6 સામે ગુનો નોંધાયો વાંકાનેરમાં દુકાનની અંદર ગેરકાયદે ગેસના બાટલાનું રિફીલિંગ કરતા વેપારીની ધરપકડ: પીપળી ગામે મંદિર પાસેથી બાઈકની ચોરી મોરબીના લાલપર ગામ પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને બાઈક ચાલકે હડફેટે લેતા પગમાં ફ્રેક્ચર
Breaking news
Morbi Today

મોરબી : વિશ્વ હિન્દુ પરિષદ હળવદ પ્રખંડ દ્રારા રામનવમીની તૈયારીમાં બાવન ગામમાંથી લોકો ઉમટી પડયા


SHARE













મોરબી : વિશ્વ હિન્દુ પરિષદ હળવદ પ્રખંડ દ્રારા રામનવમીની તૈયારીમાં બાવન ગામમાંથી લોકો ઉમટી પડયા

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જિલ્લાનાં હળવદ પ્રખંડ પ્રેરિત રામોત્સવની ભવ્ય શરૂઆત દિનાંક ૨૩ માર્ચ ૨૦૨૬ ને સોમવારનાં રોજ સાંજે ૫ વાગ્યે હળવદ તાલુકાના બાવન (૫૨) ગામથી કરવામાં આવી હતી.જેમા રામ ભક્તોએ ઉમળકાભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.બાવન ગામમાંથી આવેલ રામ ભક્તોને પૂજ્ય સંતોના હસ્તે શ્રી રામ દરબાર મંદિરની પ્રતિકૃતિ અર્પણ કરવામાં આવી હતી.અને બાવન ગામના લોકો દ્વારા જય શ્રી રામના નાદ સાથે વાજતે ગાજતે શ્રી રામ દરબાર મંદિર પ્રતિકૃતિને પોતાના ગામમાં લઈ જઈ સ્થાપના કરી દરેક ગામમાં આગામી ૩ દિવસીય રમતોત્સવની શરૂઆત કરાશે.

આ કાર્યક્રમ પૂ.દીપકદાસજી મહારાજ, પૂ.ભક્તિનંદન સ્વામી તથાં રામોત્સવ સમિતિના અધ્યક્ષ અશ્વિનભાઈ પટેલ, ઉપાધ્યક્ષ ગોપાલભાઈ ઠક્કર અને જન્માષ્ટમી મહોત્સવ સમિતિના અધ્યક્ષ ડો.મિલનભાઈ માલમપરા અને વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જિલ્લાનાં જવાબદાર કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.આજની પ્રથમ આરતી વાલ્મિકી સમાજના ભાઈઓ દ્વારા ઉતારવામાં આવી હતી.સાથે સાથે રાત્રે અમરાપુર ગામના ભક્તો દ્વારા ધૂન ભજનની રમઝટ બોલાવેલ અને વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતનાં સહમંત્રી ભાવેશભાઈ ઠક્કરનાં માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમને સફળતાપૂર્વક કરવામાં આવ્યો હતો.વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ હળવદ પ્રખંડના કાર્યકર્તાઓ દિવસ-રાત મહેનત કરવમાં આવી હતી.






Latest News