હળવદ કૃષિ વિદ્યાલય રોડ ઉપર છેડતીની વાતના જુના ડખ્ખામાં પ્રૌઢની હત્યા મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી ઇરાન-ઇઝરાયલ વચ્ચે ચાલતા યુધ્ધના પગલે મોરબીના ઘડીયાળ ઉધોગમાં નવા ભાવના એડવાન્સ બુકિંગ આધારિત જ પ્રોડક્શનનો ક્લોક એન્ડ પાર્ટ્સ એસો.ની મીટિંગમા લેવાયો નિર્ણય મોરબીમાં બુટ ચપ્પલની લારી રાખીને વેપાર કરતા વૃદ્ધે વ્યાજે લીધેલા રૂપિયા સામે લાખો રૂપિયા ચૂકવી દીધા છતાં પણ પઠાણી ઉઘરાણી ચાલુ !: બાપ-દીકરાને મારી નાખવાની ધમકી હળવદમાં પરિણીત સ્ત્રી સાથે મિત્રતા રાખનાર યુવાનને સમજાવવા જતા બંને પક્ષેથી મારામારી: હવે સામસામે ફરિયાદ વાંકાનેરમાં રહેતી પરણીતા પોતાના બહેનના ઘરે ગયેલ હોય પતિ અને સાસુ-સસરાએ માર માર્યો વાંકાનેર નજીક સિરામિક કારખાનાની લેબર કોલોનીના ધાબા ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલ યુવાનનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના પાર્કિગમાં મિટીંગ દરમ્યાન મારામારી, ઇજાગ્રસ્ત મહીલા સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો


SHARE











મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો

મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે તમામ પ્રકારના કતલખાના બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું અને શહેરમાં માસ, મટન, ચિકન અને મચ્છીના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જો કે, મહાનગરપાલિકાના જાહેરનામાને નજર અંદાજ કરીને બે વેપારીએ દુકાન ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ ચાલુ રાખ્યું હતું જેથી તેની સામે પગલાં લેવાની વિહિપ અને બજરંગદળના આગેવાને માંગ કરી હતી તેવામાં મનપાના અધિકારી અને કર્મચારી દ્વારા એ ડિવિઝનમાં જુદીજુદી બે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જાહેરનામા ભાંગના ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીમાં જાહેરનામું બહાર પાડીને મહાશિવરાત્રીના દિવસે તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા અને માંસ, મટન, ચીકન તથા મચ્છીના વેચાણ કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ હતો જો કે, જાહેરનામાની ઐસી તૈસી કરીને શિવરાત્રિના દિવસે મોરબીમાં જૂના બસ સ્ટેશન પાસે આવેલ મચ્છી માર્કેટ અને શક્તિ ચોક પાસે આવેલ ખાટકીવાસમાં નોનવેજનું વેચાણ દુકાનોમાં કરવામાં આવ્યું હતું જેથી કરીને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અને બંને વેપારી સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી તેવામાં હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુદીજુદી બે ફરિયાદ નોંધાયેલ છે જેમાં એક ફરિયાદ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના અધ્યક્ષ અનુરાગ સંતોકીએ ન્યુ અયોધ્યાપુરી મેઈન રોડ પર આવેલ યાદગાર કેટરર્સ સામે નોંધાવેલ છે જયારે બીજી ફરિયાદ ક્લાર્ક દિલીપસિંહ રાઠોડે શક્તિ ચોક ખાટકીવાસ પાસે આવેલ સરકાર બાવા અહમદશાહ નામની દુકાનના માલિક સામે નોંધાવેલ છે જેથી કરીને પોલીસે બંને વેપારીની સામે જાહેરનામાના ભંગનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News