એસએમસી ત્રાટકી: વાંકનેરના વઘાસિયા ટોલનાકા પાસેથી 28,912 બોટલો દારૂ ભરેલ ટ્રક સાથે એક પકડાયો, 80.86 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ઘુંટુ રોડ પાસેથી ૨૪૦ બોટલ દારૂ ભરેલી રીક્ષા પકડાઇ, આરોપીઓની શોધખોળ ચાલુ મોરબી નજીક કારખાનામાંથી કોપર-એલ્યુમિનિયમ વાયરની ચોરીના ગુનામાં વધુ 2 આરોપી ની ધરપકડ  મોરબીના જેતપર ગામે ખેડૂતોના હક્ક માટે આમરણાંત આંદોલનનો આજે બીજો દિવસ: તંત્રની ઘોર બેદરકારી ! મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વીરાંગના રાણી લક્ષ્મીબાઈની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો મોરબી : બુઢા અમરનાથ સાહસિક યાત્રાનું આયોજન, જોડાવા અપીલ મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં વરલી જુગારની 4 રેડ ટંકારાના લજાઈ ગામ પાસે વાડીની ઓરડીમાં ઇલેક્ટ્રીક શોટ લગતા ત્રણ વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

ટંકારના સજનપર ગામથી નીકળતી એસટી બસ બંધ થતાં વિધાર્થીઓ હેરાન


SHARE











ટંકારના સજનપર ગામથી નીકળતી એસટી બસ બંધ થતાં વિધાર્થીઓ હેરાન 

મોરબી જિલ્લાના વાંકાનેરથી ટંકારા તાલુકાના સજ્જનપર થઈને સવારે એસટી બસ આવતી હતી જેમાં વિદ્યાર્થીઓએ અભ્યાસ માટે મોરબી આવતા હોય છે જો કેઅચાનક જ આ એસટીને બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓ હેરાન થઈ ગયા છે ત્યારે દરરોજ શાળાએ ભણવા માટે અપડાઉન કરતાં વિદ્યાર્થીઓ માટે તાત્કાલિક આ એસટી બસને શરૂ કરવામાં આવે તેવી તાલુકા પંચાયતના મહિલા સદસ્ય દ્વારા ડેપો મેનેજરને રજૂઆત કરવામાં આવી છે. 

ટંકારા તાલુકાના સજ્જનપર ગામના રહેવાસી અને તાલુકા પંચાયતના મહિલા સદસ્ય મનીષાબેન રાજેશભાઇ કોરડીયાએ એસટીના ડેપો મેનેજરને લેખિત રજુઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કેવાંકાનેરથી સજ્જનપર થઈને એસટીની અંબાજી વાળી બસ નીકળતી હતી અને આ બસ સવારે છ વાગ્યે સજ્જનપર આવતી હોવાથી મોરબી અભ્યાસ કરવા માટે જતાં સજ્જનપર ગામના વિદ્યાર્થીઓએ તેમાં મોરબી આવતા હતા જો કેઅચાનક જ આ બેડને રદ કરી દેવામાં આવી છે. જેથી શાળાએ અપડાઉન કરતા ગામના વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી ગયેલ છે જેથી કરીને વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે માટે તાત્કાલિક સજ્જનપર ગામેથી સવારે નીકળતી એસટી બસને ફરીથી શરૂ કરવા માટેની માંગ કરવામાં આવી છે.






Latest News