મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-૨ ડેમમાં માછીમારી કરવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત


SHARE











મોરબીના મચ્છુ-૨ ડેમમાં માછીમારી કરવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત

મોરબી નજીકના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-૨ ડેમમાં માછીમારી કરતા સમયે પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મહેન્દ્રનગરની બાજુમાં આવેલ ઇન્દિરાનગરમાં રહેતા મુન્નાભાઈ કાથળભાઇ પરમાર (ઉંમર ૩૫) મોરબી નજીકના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-૨ ડેમના પાણીમાં માછીમારી કરવા માટે ગયા હતા ત્યારે કોઈ કારણોસર મચ્છુ-૨ ડેમના પાણીમાં ડૂબી જવાથી તેનું મોત નીપજયું હતું જેથી કરીને મચ્છુ ડેમમાંથી તેની લાશને બહાર કાઢીને લાશને પી.એમ. માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને આ બનાવની જાણ થતાં મૃતકના ભાઈ અશોકભાઈ કાથળભાઇ પરમાર દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે અકસ્માત મૃત્યુ આ બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News