મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના ત્રાજપરમાં ઘરે એસિડ પી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત


SHARE







મોરબીના ત્રાજપરમાં ઘરે એસિડ પી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત

મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેતા વૃદ્ધ કોઈ કારણોસર થોડા દિવસો પહેલાં પોતાના ઘરે એસિડ પી ગયા હતા જેથી કરીને તેઓને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખાતે લઇ ગયા હતા જોકે ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નિપજતાં આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપરમાં રહેતા લક્ષ્મણભાઈ ભનાભાઈ વરાણીયા (ઉંમર ૮૧) પોતાના ઘરે ગત તા. ૫/૧૨ ના રોજ સાંજના છ વાગ્યાના અરસામાં એસિડ ગયા હતા જેથી કરીને તેઓને સારવાર માટે પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર દરમિયાન લક્ષ્મણભાઇ વરાણીયાનું મૃત્યુ નીપજયું હતું જેથી કરીને આ બનાવની અમદાવાદ સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાનનું મોત

હળવદ તાલુકાના મયૂરનગર ગામે રહેતા કાળુભાઈ સુખાભાઈ ચાવડા (ઉંમર ૪૫) પોતાની વાડીએ પાણી વાળતા હતા ત્યારે પાણીના ધોરિયામાં બેભાન થઈને પડી ગયા હતા જેથી કરીને તેઓને બેભાન અવસ્થામાં સારવાર માટે પ્રથમ હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા જોકે સારવાર કારગત ન નિવડતા કાળુભાઈ સુખાભાઈ ચાવડાનું ચાલુ સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. જેથી કરીને આ બનાવની હળવદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News