મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના ત્રાજપરમાં ઘરે એસિડ પી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત


SHARE











મોરબીના ત્રાજપરમાં ઘરે એસિડ પી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત

મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેતા વૃદ્ધ કોઈ કારણોસર થોડા દિવસો પહેલાં પોતાના ઘરે એસિડ પી ગયા હતા જેથી કરીને તેઓને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખાતે લઇ ગયા હતા જોકે ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નિપજતાં આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપરમાં રહેતા લક્ષ્મણભાઈ ભનાભાઈ વરાણીયા (ઉંમર ૮૧) પોતાના ઘરે ગત તા. ૫/૧૨ ના રોજ સાંજના છ વાગ્યાના અરસામાં એસિડ ગયા હતા જેથી કરીને તેઓને સારવાર માટે પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર દરમિયાન લક્ષ્મણભાઇ વરાણીયાનું મૃત્યુ નીપજયું હતું જેથી કરીને આ બનાવની અમદાવાદ સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાનનું મોત

હળવદ તાલુકાના મયૂરનગર ગામે રહેતા કાળુભાઈ સુખાભાઈ ચાવડા (ઉંમર ૪૫) પોતાની વાડીએ પાણી વાળતા હતા ત્યારે પાણીના ધોરિયામાં બેભાન થઈને પડી ગયા હતા જેથી કરીને તેઓને બેભાન અવસ્થામાં સારવાર માટે પ્રથમ હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા જોકે સારવાર કારગત ન નિવડતા કાળુભાઈ સુખાભાઈ ચાવડાનું ચાલુ સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. જેથી કરીને આ બનાવની હળવદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News