મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
SHARE
મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
મોરબીના જોધપર નદી ગામે રહેતા સંજયભાઈ દેવમુરારી (51)એ પગના દુ:ખાવાથી કંટાળી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. ગઈકાલે સાંજે પાંચેક વાગ્યાની આસપાસ પોતે પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર એસિડ પી જતા મોરબી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવેલ. અહીં ચાલુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.
વધુમાં પરિવારે જણાવ્યું હતું કે, સંજયભાઈ ત્રણ ભાઈ અને બે બહેનોમાં સૌથી મોટા હતા. તેઓ દૂધની ડેરીમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. અને તેને સંતાનમાં 1 દીકરો અને 3 દીકરીઓ છે. છેલ્લા કેટલાક સમયથી પગની બીમારીથી પીડાતા હતા અને તેમની દવાઓ પણ ચાલુ હતી. જોકે, આ સતત રહેતા દુ:ખાવાથી તેઓ કંટાળી ગયા હતા અને આ પગલું ભર્યાનું અનુમાન છે. તેમના આપઘાતથી પરિવારમાં શોક છવાયો હતો.