વાંકાનેરના ભલગામ નજીક બીમારી સબબ અજાણ્યા યુવાનનું મોત બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત


SHARE











મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત

મોરબીના જોધપર નદી ગામે રહેતા સંજયભાઈ દેવમુરારી (51)એ પગના દુ:ખાવાથી કંટાળી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. ગઈકાલે સાંજે પાંચેક વાગ્યાની આસપાસ પોતે પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર એસિડ પી જતા મોરબી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવેલ. અહીં ચાલુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. 

વધુમાં પરિવારે જણાવ્યું હતું કે, સંજયભાઈ ત્રણ ભાઈ અને બે બહેનોમાં સૌથી મોટા હતા. તેઓ દૂધની ડેરીમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. અને તેને સંતાનમાં 1 દીકરો અને 3 દીકરીઓ છે. છેલ્લા કેટલાક સમયથી પગની બીમારીથી પીડાતા હતા અને તેમની દવાઓ પણ ચાલુ હતી. જોકે, આ સતત રહેતા દુ:ખાવાથી તેઓ કંટાળી ગયા હતા અને આ પગલું ભર્યાનું અનુમાન છે. તેમના આપઘાતથી પરિવારમાં શોક છવાયો હતો.






Latest News