હળવદના સુંદરગઢ નજીકથી દારૂ ભરેલ કાર સાથે એક આરોપી પકડાયો: 4.60 લાખનો મુદામાલ કબ્જે: એકનું શોધખોળ મોરબીના ઘુંટુ ગામેથી યુવાન ગુમ મચ્છુકાંઠા રબારી સમાજનું ગૌરવ: મોરબીના ચાચાપર ગામના સુનિલભાઈ રાઠોડ બન્યા કલાસ-1 અધિકારી મોરબી મહાપાલિકાની બેઠકો માટે ભાજપમાં સેન્સ લેવા આવેલા આગેવાનોને એકપણ માજી સભ્યને ટિકિટ ન આપવા સામાજીક કાર્યકરે કરી રજૂઆત હળવદના સુંદરગઢ અને કડિયાણા વચ્ચે રોંગ સાઈડમાં આવેલા ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડને ગંભીર ઇજા મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને યુવાન ઉપર પાંચ શખ્સોનો હુમલો: છરી-ધોકા વડે મારમાર્યો કોર્ટમાં કેસ ચાલે છે તે પાછો ખેંચી લેજે નહિતર જાનથી મારી નાખવો પડશે: હળવદમાં રહેતા આધેડને ધમકી મોરબીમાં જુગારની બે રેડ: ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 7 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ બનાવમાં મહિલા સહિત બે ની ધરપકડ


SHARE











મોરબીના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ બનાવમાં મહિલા સહિત બે ની ધરપકડ

મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીને લગ્નની લાલચ આપીને તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું જેથી આ બનાવ સંદર્ભે ભોગ બનેલ સગીરાની બહેન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહિલા સહિત કુલ મળીને બે વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવવા આવતા પોલીસે મહીલા સહીત બે લોકોની ધરપકડ કરીને આગળની તજવીજ શરૂ કરેલ છે.

હાલમાં તાલુકા પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૂળ બિહારના અને હાલમાં મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની ૧૧ વર્ષની સગીર દીકરીનું મોરબી તાલુકાના લક્ષ્મીનગર પાસેના રોટરીનગર વિસ્તારમાં રહેતો અજય ભાંખોડિયા નામનો શખ્સ લગ્નની લાલચ આપીને અપહરણ કરી ગયો હતો.ત્યારબાદ સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.જેથી સગીરાની બહેન દ્રારા અજય ભંખોડીયા તેમજ મનિષાબેન અનિલભાઈ વાલેરા રહે.અમદાવાદ સામે ગુનો નોંધાવવામાં આવતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.કે.ચારેલે ગુનો નોંધીને સગીરવયની દીકરીના અપરણના બનાવની ગંભીરતાના પગલે જુદી જુદી ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી.અને તાત્કાલિક આ બનાવમાં સંડોવાયેલ અજય નરસીભાઇ ભંખોડીયા (૨૦) રહે.રોટરીનગર લક્ષ્મીનગર ગામની પાસે માળિયા હાઇવે તા.મોરબી તથા મનીષાબેન અનિલભાઈ કાળુભાઈ વાલેરા (૩૨) ધંધો કેટરિંગ કામ રહે. 'શક્તિ' સુન્દરમનગર સોસાયટી મોતીપુરા શાહવાડી નારોલ અમદાવાદ મૂળ રહે.હનુમાન મંદિર પાસે અંકેવાળીયા તા.લીમડી જી.સુરેન્દ્રનગરની આ બાબતે ધરપકડ કરી હતી અને બંને વિરુદ્ધ ધોરણસરની આગળની તપાસ હાથ ધરી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા જયાબેન ભવાનભાઈ મારૂ નામના ૮૩ વર્ષના વૃદ્ધા બાઈક પાછળ બેસીને જતા હતા ત્યાં વાહન સ્લીપ થતાં ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જ્યારે માળિયાના મેઘપર ગામે રહેતા શારદાબેન મૂળુભાઈ ખાભરા નામના ૫૩ વર્ષના વૃદ્ધા ગામ પાસેથી બાઈકમાં બેસીને જતા હતા ત્યારે વાહન સ્લીપ થઈ ગયેલ હોય તેમને ઇજા થઈ હોય સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.તેમજ માળિયાના જાજાસર ગામ પાસે બાઈક સ્લીપ થવાના બનાવમાં રાજુભાઈ બાજુભાઈ કોળી (૪૬) રહે.રાસંગપરને ઈજા થઈ હોય તેમને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.

યુવાન સારવારમાં

મોરબીના અણીયારી ટોલનાકા પાસે ટ્રક રોડની સાઈડમાં ઉતરી ગયો હતો.જે અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા વિનોદભાઈ છેલ્લાભાઈ વાંઝા (૨૪) રહે.તિલકનગર ટંકારાને અત્રે આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે હળવદના સરંભડા ગામના ભીમાભાઇ મહાદેવભાઇ બાવળીયા નામનો ૩૮ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે હળવદના સુંદરી ભવાની ગામ પાસે તેનું વાહન સ્લીપ થયું હોય ઇજા પામેલ હાલતમાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો. તેમજ મોરબીના જમાતખાના પાસે રહેતા પ્રવીણભાઈ રતિભાઈ પરમાર નામના ૫૮ વર્ષના આધેડને ફેફસાની બીમારી હોય અને બીમારી સબબ તેમને અત્રે સારવાર માટે લાવવામાં આવેલ હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જણાવાયેલ છે.જ્યારે મોરબીના રામકો વિલેજ નજીક રહેતા દિનેશભાઈ ત્રિભોવનભાઈ ગોરીયા નામના ૫૧ વર્ષના આધેડ કોઈ કારણોસર ફીનાઇલ પી ગયા હોય તેમને સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા જેથી પોલીસ દ્વારા બનાવની નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.તેમજ શારદાબેન થોભણભાઈ દલસાણીયા નામના ૬૩ વર્ષના વૃદ્ધા બાઇકની પાછળ બેસીને જતા હતા ત્યારે વાહન સ્લીપ થયેલ હોય તે બનાવમાં ઈજા પામ્યા હોય તેમને પણ સારવાર માટે લઇ જવાયા હોવાથી પોલીસે નોંધ કરી તપાસ કરી હતી. 






Latest News