હળવદના સુંદરગઢ નજીકથી દારૂ ભરેલ કાર સાથે એક આરોપી પકડાયો: 4.60 લાખનો મુદામાલ કબ્જે: એકનું શોધખોળ મોરબીના ઘુંટુ ગામેથી યુવાન ગુમ મચ્છુકાંઠા રબારી સમાજનું ગૌરવ: મોરબીના ચાચાપર ગામના સુનિલભાઈ રાઠોડ બન્યા કલાસ-1 અધિકારી મોરબી મહાપાલિકાની બેઠકો માટે ભાજપમાં સેન્સ લેવા આવેલા આગેવાનોને એકપણ માજી સભ્યને ટિકિટ ન આપવા સામાજીક કાર્યકરે કરી રજૂઆત હળવદના સુંદરગઢ અને કડિયાણા વચ્ચે રોંગ સાઈડમાં આવેલા ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડને ગંભીર ઇજા મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને યુવાન ઉપર પાંચ શખ્સોનો હુમલો: છરી-ધોકા વડે મારમાર્યો કોર્ટમાં કેસ ચાલે છે તે પાછો ખેંચી લેજે નહિતર જાનથી મારી નાખવો પડશે: હળવદમાં રહેતા આધેડને ધમકી મોરબીમાં જુગારની બે રેડ: ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 7 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં મણીમંદિરના પટાંગણમાં ધારાસભ્યના હસ્તે પાંચ દિવસીય પુસ્તક મેળો ખુલ્લો મુકાયો


SHARE











મોરબીમાં મણીમંદિરના પટાંગણમાં ધારાસભ્યના હસ્તે પાંચ દિવસીય પુસ્તક મેળો ખુલ્લો મુકાયો

મોરબીના ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવતા મણીમંદિરના પટાંગણમાં રાણી બાગ ખાતે મનપા દ્વારા પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ મેળાને આજે ધારાસભ્યના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારે કમિશનર સહિતના અધિકારીઓ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. અને મનપા દ્વારા આયોજિત આ પાંચ દિવસીય પુસ્તક મેળાનો વધુમાં વધુ લોકોને લાભ લેવા માટે આહ્વાન કર્યું છે.

મોરબી મનપા દ્વારા મણીમંદિરના પટાંગણમાં રાણી બાગ ખાતે પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે તા 7 થી આગમી તા 11 સુધી આ પુસ્તક મેળો ચાલુ રહેવાનો છે અને આ મેળાનું આજે ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે કમિશનર સ્વપ્નિલ ખરે તેમજ ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળા સહિતના અધિકારીઓએ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા તે ઉપરાંત ત્યાં જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓ પણ આવ્યા હતા.

વધુમાં અધિકારી જણાવ્યુ હતું કે, આ પુસ્તક મેળો સવારના 10 થી રાત્રિના 9 વાગ્યા સુધી ખુલ્લો રહેશે. અને ત્યાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીના લોકો માટે વિવિધ વિષયોના અવનવા અને રસપ્રદ પુસ્તકો મૂકવામાં આવેલ છે. ખાસ કરીને સાહિત્યશિક્ષણપ્રેરણાનવલકથાબાળસાહિત્ય સહિત વિવિધ ક્ષેત્રોના પુસ્તકો અહી એક જ જગ્યાએ મળી રહેશે. આ પુસ્તક મેળામાં મોરબી શહેરના તમામ લોકોને તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓને આવવા માટે મનપાના અધિકારી દ્વારા અનુરોધ કર્યો છે.






Latest News