મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન મોરબી જીલ્લામાં બહારથી આવેલા કર્મચારી-શ્રમિકોની નજીકના પોલીસ મથકમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં ફેબ્રુઆરી માહિનામાં હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ નલ સે જલ અભિયાન: મોરબીના લાલાપર ગામે પાણીની ટાંકી-પમ્પિંગ મશીનરીનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA બનવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે કાલે સેમિનાર યોજાશે 2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામ પાસે બાઇક સાથે બાઈક અથડાતા માથામાં ગંભીર ઈજા થવાથી આધેડનું મોત


SHARE











મોરબીના લાલપર ગામ પાસે બાઇક સાથે બાઈક અથડાતા માથામાં ગંભીર ઈજા થવાથી આધેડનું મોત

મોરબીના લાલપર ગામ પાસે આધેડ પોતાનું બાઈક લઈને ઉભા હતા ત્યારે પાછળથી આવી રહેલા બાઈકના ચાલકે તેઓને હડફેટે લીધા હતા અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં આધેડને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહ ને પીએમ માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે

મોરબીના રવાપર રોડ પર આવેલ વર્ધમાન એપાર્ટમેન્ટમાં રહેતા સુરેશભાઈ ચતુરભાઈ દેત્રોજા (52) નામના આધેડ મોરબીના લાલપર ગામ પાસેથી ગઈકાલે મોડી સાંજના 8:30 વાગ્યાના અરસામાં બાઈક ઉપર ઉભા હતા ત્યારે પાછળથી આવેલા બીજા બાઈકના ચાલકે તેઓને હડફેટે લીધા હતા જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં સુરેશભાઈને ત્યાં પડી ગયા હતા અને તેઓને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેઓના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અકસ્માત મૃત્યુના બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News