ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાને પોતાના જ ઘરમાં અણધાર્યું પગલું ભર્યું: વાંકાનેરના પલાસડી ગામે ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા પરણીતાનું મોત


SHARE











મોરબીમાં યુવાને પોતાના જ ઘરમાં અણધાર્યું પગલું ભર્યું: વાંકાનેરના પલાસડી ગામે ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા પરણીતાનું મોત

મોરબીની ધર્મ સૃષ્ટિ સોસાયટીમાં રહેતા યુવાને પોતાના જ ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જ્યારે વાંકાનેર તાલુકાના પલાસડી ગામે રહેતી મહિલા પાણીની ઇલેક્ટ્રીક મોટર ચાલુ કરવા જતા તેને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો અને તેનું મોત નીપજ્યું હતું આ બંને બનાવની સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ ધર્મસૃષ્ટિ સોસાયટીમાં રહેતા નિકેતભાઈ ત્રીકમજીભાઈ ડાભી (43) નામના યુવાને પોતે પોતાના ઘરમાં હતો ત્યારે ત્યાં પંખા સાથે ટુવાલ બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને આ યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને યુવાને કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં આગળની તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એસ.કે.બાલાસરા ચલાવી રહ્યા છે

વાંકાનેર તાલુકાના પલાસડી ગામે રહેતા પાર્વતીબેન નરેન્દ્રભાઈ પરમાર (37) નામની મહિલા પોતે પોતાના ઘરે હતી ત્યારે ઈલેક્ટ્રીક મોટર ચાલુ કરવા જતા તેને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને આ મહિલાનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News