ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીમાં સંત શિરોમણી શ્રી રોહીદાસ બાપુની ૬૪૯મી જન્મજયંતી ઉજવણી કરાઈ


SHARE











મોરબીમાં સંત શિરોમણી શ્રી રોહીદાસ બાપુની ૬૪૯મી જન્મજયંતી ઉજવણી કરાઈ

મોરબી શહેરમાં સંત શિરોમણી શ્રી રોહીદાસ બાપુની ૬૪૯મી જન્મજયંતી નિમિત્તે વિવિધ વિસ્તારોના રહીશો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રોહીદાસ પરા, આંબેડકર કોલોની, ગુજરાત સોસાયટી, ભીમરાવ નગર, વિજયનગર તથા શાંતિવન સોસાયટીના રહેવાસીઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ શોભાયાત્રાનું પ્રસ્થાપન વીસી ફાટક ખાતેથી કરવામાં આવ્યું હતું, જે મોરબી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થતી રોહીદાસ પરામાં આવેલ સંત રોહીદાસ બાપુના મંદિર ખાતે સંપન્ન થઈ હતી. આ શોભાયાત્રા પૂર્ણ થયા બાદ મંદિર પ્રાંગણમાં મહા આરતી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લઈ સંત રોહીદાસ બાપુના દર્શન કર્યા હતા. આ કાર્યક્રમના અંતે વિસ્તારના રહીશો દ્વારા બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.






Latest News